________________
૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सणह वोच्छामि।।२।।
પંચાસ્તિકાય સંગ્રહ
શુદ્ધ જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશયવિમોહ– વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરિવરોધાદિ દોષ રહિત હોવાથી અથવા યુગપદ્દ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ-સ્પષ્ટવ્યકત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું; અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ સાત ઋદ્ધિ તેમજ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ યોગીંદ્રોને પણ તેઓ વંધ છે. (૪) ચોથું; પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો છે. આ રીતે કુતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય કોઈ નહિ- આ પ્રમાણે ચાર વિશેષણોથી યુકત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવનમસ્કાર કરીને મંગળ કર્યુ.
પ્રશ્ન:- જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્ત૨:- ભકિત અર્થ મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સુર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને ) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧.
*
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું સૂણજો તમે; જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
* આ ગાથાની શ્રીજયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ શાસ્ત્રનું નિમિત, શાસ્ત્રનો હેતુ ( ફળ ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા- એ છ બાબાતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવાયોગ્ય છે' એમ કહ્યું છે.
Please inform us of any errors on
[email protected]