________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત )
સંસારસાગર
તારવા જિનવાણી
છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
卐
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિફળ્યો અહો ! ગુરુ ાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ )
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ
મુમુક્ષુનાં.
(શિખરિણી )
સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત )
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે જે મુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચેન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
નિત્યે
કરુણા
હું
(વસંતતિલકા )
અકારણ
સુધાઝરણ ચંદ્ર ! તને નમું સમુદ્ર ! તને નમું જ્ઞાનપોષક સુમેઘ ! તને જીવનશિલ્પી ! તને નમું
આ દાસના
(સ્રગ્ધરા )
ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વ ંતી, વાણી ચિન્મુર્તિ ! તારી ઉગ્ન-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com