________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૧૭
यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम्। स स्वकचरित्रभ्रष्ट: परचरितचरो भवति जीवः ।। १५६ ।।
परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्।
यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा भावमादधाति, स स्वकचरित्रभ्रष्ट: परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति।। १५६ ।।
आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परुति।।१५७।।
અન્વયાર્થ:- [:] જે [ રાળ] રાગથી (–રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) [પદ્રવ્ય] પરદ્રવ્યને વિષે [શુભમ્ સુમન્ માવસ્] શુભ કે અશુભ ભાવ [રિ રોતિ]કરે છે,[ સ: નીવ:] તે જીવ [ વરિત્રમ્રષ્ટ: ]સ્વચારિત્રભ્રષ્ટ એવો[ પરવરિતવર: ભવતિ] પરચારિત્રનો આચરનાર છે.
ટીકાઃ- આ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરકતઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણકે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે 'સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
૧. સોપરાગ ઉપરાગયુક્ત; ઉપરક્તમલિનવિકારી; અશુદ્ધ (ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને
અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com