________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે
છે?
ઉત્તર- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપતિ વસ્તુને ન ઓળખે ત્યાંસુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો તે કાર્યકારી થાય, અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની “વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. એ જ પુરુષાર્થસિદ્ધયુપાય કહ્યું
છે:
अबुधस्य बोधनार्थ मुनीश्वरा देशयन्तत्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।। माणवक एव सिंहो यथा भवत्यनवगीतसिंहस्य। व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।
અર્થ:- મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશ છે. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિહે છે, તેવી રીતે જે નિશ્ચયને ન સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે.
-શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com