SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ પ્રવચનસાર [ भगवान श्रीनिमीलितं विधाय केवलोन्मीलितेन द्रव्यार्थिकेन यदावलोक्यते तदा नारकतियङ्मनुष्यदेवसिद्धत्वपर्यायात्मकेषु विशेषेषु व्यवस्थितं जीवसामान्यमेकमवलोकयतामनवलोकितविशेषाणां तत्सर्वं जीवद्रव्यमिति प्रतिभाति। यदा तु द्रव्यार्थिकमेकान्तनिमीलितं केवलोन्मीलितेन पर्यायार्थिकेनावलोक्यते तदा जीवद्रव्ये व्यवस्थितान्नारकतिर्यङ्मनुष्यदेवसिद्धत्वपर्यायात्मकान् विशेषाननेकानवलोकयतामनवलोकितसामान्यानामन्यदन्यत्प्रतिभाति, द्रव्यस्य तत्तद्विशेषकाले तत्तद्विशेषेभ्यस्तन्मयत्वेनानन्यत्वात्, गणतृणपर्णदारुमयहव्यवाहवत्। यदा तु ते उभे अपि द्रव्यार्थिकपर्यायार्थिके तुल्यकालोन्मीलिते विधाय तत इतश्चावलोक्यते तदा नारकतिर्यङ्मनुष्यदेवसिद्धत्वपर्यायेषु व्यवस्थितं जीवसामान्य जीवसामान्ये च व्यवस्थिता नारकतिर्यङ्मनुष्यदेवसिद्धत्वपर्यायात्मका विशेषाश्च तुल्यकालमेवावलोक्यन्ते। तत्रैकचक्षुरव सुवर्णस्येव भेदाभावात्। तं पज्जयट्ठिएण पुणो तव्यं पर्यायार्थिकनयेन पुनः अण्णं अन्यदिन्नमनेक पर्यायैः सह पृथग्भवति। कस्मादिति चेत्। तक्काले तम्मयत्तादो तृणाग्निकाष्ठाग्निपत्राग्निवत् स्वकीयपर्यायैः सह तत्काले तन्मयत्वादिति। एतावता किमुक्तं भवति द्रव्यार्थिकनयेन यदा वस्तुपरीक्षा क्रियते तदा पर्यायसन्तानरूपेण सर्वं पर्यायकदम्बकं द्रव्यमेव प्रतिभाति। यदा तु पर्यायनयविवक्षा क्रियते तदा द्रव्यमपि पर्यायरूपेण भिन्न भिन्नं प्रतिभाति। यदा च परस्परसापेक्षनय गपत्समी તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે' એમ ભાસે છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડ અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે-છાણાં, તણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે-મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે-જુદું નથી). અને જ્યારે તે બન્ને ચક્ષુઓ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (-દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ ૫ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ-તિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ-તિર્યંચત્વ મનુષ્યત્વ-દેવત-સિદ્ધત્વપર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy