SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર [ ભગવાન શ્રીકુંદકુંદ निबन्धनाः। अथ य: सर्वद्रव्यपर्यायनिबन्धनानन्तविशेषव्यापिप्रतिभासमयमहासामान्यरूपमात्मानं स्वानुभवप्रत्यक्षं न करोति स कथं प्रतिभासमयमहासामान्यव्याप्यप्रतिभासमयानन्तविशेषनिबन्धनभूतसर्वद्रव्यपर्यायान् प्रत्यक्षीकुर्यात्। एवमेतदायाति य आत्मानं न जानाति स सर्वं न जानाति। अथ सर्वज्ञानादात्मज्ञानमात्मज्ञानात्सर्वज्ञानमित्यवतिष्ठते। एवं च सति ज्ञानमयत्वेन स्वसंचेतकत्वादात्मनो ज्ञातृज्ञेययोर्वस्तुत्वेनान्यत्वे सत्यपि प्रतिभासप्रतिभास्यमानयोः स्वस्यामवस्थायामन्योन्यसंवलनेनात्यन्तमशक्यविवेचनत्वात्सर्वमात्मनि निखातमिव प्रतिभाति। यद्येवं न स्यात् तदा ज्ञानस्य परिपूर्णात्मसंचेतनाभावात् परिपूर्णस्यैकस्यात्मनोऽपि ज्ञानं न सिद्ध्य નેતા ૪૧ सो सव्वाणि जाणादि कथं स सर्वान् जानाति जुगवं युगपदेकसमये, न कथमपीति। तथा हिआत्मलक्षणं तावज्ज्ञानं तच्चाखण्डप्रतिभासमयं सर्वजीवसाधारणं महासामान्यम्। तच्च महासामान्य ज्ञानमयानन्तविशेषव्यापि। ते च ज्ञानविशेषा अनन्तद्रव्यपर्यायाणां विषयभूतानां ज्ञेयभूतानां परिच्छेदका ग्राहकाः। વિશેષોનાં (-ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્યવર્ડ વ્યાપ્ય (–વ્યપાવાયોગ્ય) જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી ( _જાણી) શકે ? ( ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી. - હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, જ્ઞાતા અને શયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય, આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશકય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે-જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે–અનુભવે છે–જાણે છે; અને પોતાને જાણતાં સર્વ શયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞયાકારોને ભિન્ન કરવા અશકય છે.) જો આમ ન હોય તો (અર્થાત જો આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. ૧. જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વ દ્રવ્યો અને પર્યાયો છે. ૨. નિખાત = ખોદીને અંદર ઊંડે ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy