________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
“પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ એવો જે વિશિષ્ટ (ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ” શું કહ્યું આ? અહાહા...! આત્મામાં આ કોઈ એવી શક્તિ નામ સ્વભાવ છે કે પ્રત્યેક સમયમાં પગુણ, વૃદ્ધિહાનિ થાય છે અને તે સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ છે. ગજબની સૂક્ષ્મ વાત છે ભાઈ ! અહાહા...! પટગુણવૃદ્ધિ પગુણહાનિ અને સમય એક. એક સમયમાં પગુણ વૃદ્ધિાનિ થાય એવો જીવનો કોઈ અચિન્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.
આ અગુરુલઘુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અગુસ્લઘુત્વ સ્વભાવ અનંત ગુણમાં વ્યાપક છે. અગુરુલઘુત્વ ગુણ બીજા અનંત ગુણમાં છે એમ નહિ, પણ બીજા અનંત ગુણમાં અગુરુલઘુત્વ ગુણનું રૂપ છે. આ રીતે દર્શનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, જ્ઞાનની પર્યાયમાં અગુસ્લઘુપણું છે, ચારિત્રની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ઇત્યાદિ. અહાહા..! આત્મામાં જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ પર્યાય થાય છે તેમાં પ્રત્યેકમાં પગુણ હાનિવૃદ્ધિ થાય એવો અગુરુલઘુત્વ સ્વભાવ છે. આ કેવળીગમ્ય છે. પં. દીપચંદજીએ ‘ચિ-વિલાસ” ગ્રંથમાં આ શક્તિનું વર્ણન કર્યું છે. સિદ્ધભગવાન છે તેમના વિષે પગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ કહ્યું છે તે માત્ર ત્યાં દષ્ટાંતરૂપ કથન છે. બાકી અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, વચન અગોચર છે, તર્ક-અગોચર છે. (જુઓ, આલાપ પદ્ધતિ પૃ. ૮૯) ભાઈ ! શ્રુતજ્ઞાનમાં જો બધું સમજાઈ જાય તો કેવળજ્ઞાનનો દિવ્ય મહિમા શું?
અહા ! કેવળજ્ઞાનની પર્યાયમાં પણ એક સમયમાં પણ વૃદ્ધિહાનિ થાય છે. કેવળજ્ઞાન તો છે તેવું જ છે, ત્રણકાળ-ત્રણલોક સહિત લોકાલોકને જાણે છે; પગુણ વૃદ્ધિાનિ થતાં તેમાં કાંઈ વધ-ઘટ થતી નથી. અહા ! આવો જ કોઈ અગુરુલઘુત્વ સ્વભાવ છે જે ભગવાન સર્વજ્ઞદેવે કહ્યો છે ને પરમાગમમાં બતાવ્યો છે. આ વાત કાંઈ તર્કથીયુક્તિથી પમાય એમ નથી; તે આગમપ્રમાણથી માનવી જોઈએ.
હવે જેને ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિની વાતમાં પર્યાયની પૂર્ણતા માનવી કઠણ પડે છે તેને આ પણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ સમજવું મુશ્કેલ પડે એવી આ વાત છે. કહે છે-એક સમયની પર્યાયમાં પગુણ વૃદ્ધિહાનિ થાય છે. ભલે એક સમયની ક્ષાયિક સમકિતની કે ક્ષાયિક જ્ઞાનની પર્યાય હો, તો પણ તેમાં એક સમયમાં આ પણ વૃદ્ધિહાનિ થાય છે એવો જીવનો કોઈ અચિન્ય અગુસ્લઘુત્વ સ્વભાવ છે.
એક સમયની પર્યાયમાં પગુણ વૃદ્ધિહાનિ થાય છે તે આ પ્રમાણેઃ
(૧) અનંતગુણ વૃદ્ધિ (૨) અસંખ્યગુણ વૃદ્ધિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ (૪) અનંતભાગ વૃદ્ધિ (૫) અસંખ્યભાગ વૃદ્ધિ અને (૬) સંખ્યાતભાગ વૃદ્ધિ.
આ પ્રમાણે હાનિના છ બોલઃ
(૧) અનંતગુણ હાનિ (૨) અસંખ્યગુણ હનિ (૩) સંખ્યાતગુણ હાનિ (૪) અનંતભાગ નિ (૫) અસંખ્યભાગ હાનિ અને (૬) સંખ્યાતભાગ હાનિ.
આ પ્રમાણે એક સમયમાં પદ્ગણ વૃદ્ધિાનિરૂપે અગુસ્લઘુત્વ ગુણનું કોઈ સૂક્ષ્મ પરિણમન થાય છે અને તે કેવળીગમ્ય છે.
નશૂન્યત્વશક્તિમાં એમ કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કમી–વૃદ્ધિ થતી નથી એવો એનો સ્વભાવ છે. એકેક ગુણની એકેક પર્યાયમાં ઘટ-વધ થતી નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં, દર્શનની પર્યાયમાં, આનંદની પર્યાયમાં, વીર્યની પર્યાયમાં, અનંત ચતુર્યની પર્યાયમાં ને સિદ્ધની પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી. ભલે અલ્પ પર્યાય હો તો પણ તે ઘટ-વધ રહિત પરિપૂર્ણ છે એમ ત્યાં કહ્યું છે. ક્ષયોપશમ સમતિની પર્યાય હો કે ક્ષાયિકની પર્યાય હો, મતિ-શ્રુતજ્ઞાન હો કે કેવળજ્ઞાનની પર્યાય હો, ચારિત્રની અલ્પ નિર્મળ પર્યાય હો કે પૂરણ વીતરાગતાની પર્યાય હો, તે એકેક પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે ને પરના ગ્રહણ-ત્યાગથી શુન્ય ઘટ-વધ રહિત છે, માટે પૂર્ણ છે. અહા! આવી સૂક્ષ્મ ગંભીર વાત કેવળીના શાસન સિવાય કયાંય નથી. અહાહા...! તું કેવડો મોટો છો! ભગવાન! તને તારી મોટપની-પ્રભુતાની ખબર નથી. અહાહા...! જેની પ્રભુતામાં કયાંય ઘટ-વધ થતી નથી એવો ભગવાન! તું પરિપૂર્ણ પ્રભુ છો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com