________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭-અંગુલધુત્વશક્તિ : ૯૩ હવે શ્રીકૃષ્ણ, ગજસુકુમાર સાથે ભગવાનના સમોસરણમાં આવી પહોંચ્યા. ભગવાનના દર્શન કરી ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. વાણી સાંભળતાં જ ગજસુકુમારનો પુરુષાર્થ અંદરથી ઉછળ્યો. તેઓ બોલ્યો, “ભગવન! હું તો આગાર છોડી અણગાર થવા માગું છું, મુનિદીક્ષા અંગીકાર કરવાની મારી ભાવના છે.” જુઓ, આ પુરુષાર્થ ! ગજસુકુમારે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં અંતર્લીન થવાનો પુરુષાર્થ ઉછળ્યો! ભગવાને દીઠું હશે ત્યારે થશે એમ માનીને પુરુષાર્થહીન ન થયા પણ અંદર વૈરાગ્યભાવના પ્રદીપ્ત થઈ. તેઓશ્રી માતા દેવકી પાસે રજા લેવા જાય છે. કહે છે-માતા, હું મુનિદીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું; માતા રજા આપ.
દેવકી કહે છે-“બેટા, દેવનું આરાધન કરવાથી તો તારો જન્મ થયો છે; તું કેવા કેવા લાડમાં ઉછર્યો છે? હાથીના તાળવા જેવું આ તારું કોમળ શરીર! તને વનવાસ જવાની રજા કેમ અપાય ? ત્યારે ગજસુકુમાર કહે છેમાતા ! અંદર મારો આનંદસ્વરૂપ ચિદાનંદ-નિત્યાનંદ-પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેમાં જઈ ત્યાં જ નિવાસ કરવા હું અધીર છું; હવે એક પળ પણ હું અહીં રહી શકું નહિ, માટે હે માતા! મને રજા દે. માતાને રુદન કરતી જોઈ કહે છેમાતા ! તારે રુદન કરવું હોય તો કરી લે, પણ હવે હું ક્ષણવાર પણ થોભે તેમ નથી; હું કોલકરાર કરું છે કે ફરીને હવે હું બીજી માતા નહિ કરું, હવે હું (સંસારમાં) પાછો નહિ ફરું. હવે હું નિજ શુદ્ધાત્માની શરણમાં શીધ્ર જ જાઉં છું. અહાહા....! જુઓ તો ખરા, જેને અંતરમાં કેવળજ્ઞાન બેઠું તેનો પુરુષાર્થ કેવો નિજ જ્ઞાનસ્વભાવની સન્મુખ ઝૂકી જાય છે! આનું નામ પુરુષાર્થ ને આ કેવળીની પ્રતીતિ છે.
વાસ્તવમાં ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કેવળજ્ઞાનની સત્તાનો જે અંતર્મુખ થઈ સ્વીકાર કરે તેને વીતરાગતા પ્રગટ થાય છે. કેવળજ્ઞાન માને (-કહે ) અને વળી આપણે પુરુષાર્થ શું કરીએ ? -એમ કહું તેને તો કેવળજ્ઞાન બેઠું જ નથી. વાસ્તવમાં જેને કેવળજ્ઞાનની સત્તાનો અંતરમાં સ્વીકાર થયો છે તે અંતપુરુષાર્થી છે ને તેના કેવળજ્ઞાનીએ ભવ દીઠા હોય એમ છે કે નહિ.
અમને પૂર્વના સંસ્કાર હતા એટલે આ વાત અંદરથી તે વખતેય આવતી. જુઓ આ પુરુષાર્થનું સ્વરૂપ. કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર કરે તેને તો અનંતો પુરુષાર્થ છે, અને ભગવાન કેવળજ્ઞાનીએ તે જીવના ભવ દીઠા હોય એમ છે જ નહિ; કેમકે જગતમાં કેવળજ્ઞાન છે અને તેનું સામર્થ્ય શું? –એનો સ્વીકાર અંદર કેવળજ્ઞાનસ્વભાવમાં ઝૂકવાથી જ થાય છે. અહા ! પૂરણ ભરિતાવસ્થ કેવળજ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છે તે ઘટવધ રહિત સદાય એવો ને એવો જ છે એમ સ્વીકારી તેના આશ્રયે પરિણમવું તે ધર્મ છે.
આમ કહી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ પૂરી થઈ.
૧૭: અગુરુલઘુત્વશક્તિ “પસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (–ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુસ્લઘુત્વશક્તિ. [ આ પસ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ “ગોમ્મસાર” શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ પસ્થાનોમાં પડતી-સમાવેશ પામતીવસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (–જે ગુણથી) થાય છે અને જે (ગુણ ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે, તેને અનુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.]'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com