________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૮૫ (માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४ ।।
(અનુદુમ) इदमेकं जगचक्षुरक्षयं याति पूर्णताम् ।
विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५।। પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો” –એવા અર્થનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ગતિનā: નર્વે: તુર્વિધૈ: મનમ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [૩૬] અહીં એટલું જ કહેવાનું છે કે [મયમ્ પરમાર્થ: પ્રવ: નિત્યમ્ ચૈત્યતાન] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [ સ્વ–૨– વિસર–પૂર્ણ-જ્ઞાન-વિસ્મૃર્તિ–માત્રા સમયસTRાત્ ઉત્તર 7 વિક્રશ્ચિત્ ન સ્તિ] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર (પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજાં કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજા કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થ- પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજાં કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છે:
શ્લોકાર્થ-[આનન્દમય વિજ્ઞાનધનમ્ અધ્યક્ષતાં નયત] આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [રૂવ ક્રમ્ અક્ષય ન –વક્ષ:] આ એક (-અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાકૃત) [ પૂર્ણતામ્ યાતિ] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થ- આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com