SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૪૧૩ पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं।। ४१३।। पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु । कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञात: समयसारः।। ४१३।। હવે આ અર્થની ગાથા કહે છે: બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સાર” ને. ૪૧૩. ગાથાર્થ- [] જેઓ [ વહુવારેy] બહુ પ્રકારનાં [પાષતિષ વી] મુનિલિંગોમાં [ ગૃહિતિ જેવુ વા] અથવા ગૃહસ્થલિંગોમાં [ મમત્વ ર્વત્તિ] મમતા કરે છે (અર્થાત્ આ દ્રલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [ તૈઃ સમયસાર: ર જ્ઞાત:] તેમણે સમયસારને નથી જાણ્યો. ટીકાઃ- જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું” એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર 'અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. ભાવાર્થ- અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે “આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે” , પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy