________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વિયોનિની) व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः । तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२ ।।
(સ્વી તા) द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न । द्रव्यलिङ्गमिह यत्किलान्यतो
ज्ञानमेकमिदमेव हि स्वतः।। २४३।। શ્લોકાર્થઃ- [વ્યવહાર–વિમૂઢ–૫: નાપરમાર્થ નો વનન્તિ] વ્યવહારમાં જ જેમની દષ્ટિ (-બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [ રૂઃ તુષ–વોવિમુઈ–વૃદ્ધ: તુષે યત્તિ, ન તડુન] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.
ભાવાર્થ- જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટ્યા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [pવ્યતિ–માર–મીનિતૈ: સમયસર: વ ન દશ્યતે] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડ અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [યત ડું દ્રવ્યત્તિ વિરુને અન્યત:] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [ રૂમ્ જ્ઞાનમ્ વ દિ શમ્ સ્વત:] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી ) થાય છે.
ભાવાર્થ:- જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડ અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩.
૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા, ફોતરાં વિનાનું અનાજ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com