________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૫ ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત !
હા, પણ અમારે તો આ કરવું કે બૈરાં-છોકરાની જવાબદારીઓ નિભાવવી?
અરે ભાઈ ! તું બૈરા-છોકરાનું કરે છે જ શું? પરનું હું કાંઈ કરું છું, કુટુંબ પરિવારનું હું પાલન કરું છું એ માન્યતા જ મૂઢની છે. તું તો મફતનો રાગ-દ્વેષ કર્યા કરે છે, હરખ-શોક કર્યા કરે છે. તેથી કહે છે... ત્યાંથી વિરક્ત થઈ, નિજ ચૈતન્યપદમાં એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર, કેમકે આ જ સુખનો પંથ છે, જન્મ-મરણ નિવારવાનો પંથ છે. સમજાણું કાંઈ...?
હવે ચોથો બોલ–
તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તેપણા વડ (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (–દર્શનશાનચારિત્રમય પરિણામવાળો ) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહુર:...'
જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઉપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઉપજે છે તે નિર્મળ રત્નત્રયના પરિણામ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વિશે ન થાય, એ તો પરના-નિમિત્તના વિશે થનારા પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દૃષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા..! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડે નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો, હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં માં વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુ:ખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહુર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. ‘તત્થવ વિદર વુિં ' “તેમાં જ નિત્ય વિહાર કર' છે ને ગાથામાં ? આ એનો અર્થ થયો.
હવે આવું સમજવાની આ વાણિયાઓને બિચારાઓને ફુરસદ ન મળે; જિજ્ઞાસા નહિ, તત્ત્વાભિલાષ નહિ એટલે આડોડાઈ કરે ને કહેઃ હમણાં નહિ, જો 'શું પછી શું જો શું પછી ? આ ભરવાડ નથી હોતા ભરવાડ; એક દિ જોયો હતો બકરાં ચારતો; પચીસ જેટલાં બકરાં ને સાથે પંદર-વીસ નાનાં નાનાં બકરાનાં બચ્ચાં. તો વિચાર આવે છે કે આ વાણિયા બધા મરીને આ બચ્ચાં નહિ થયા હોય? શું થાય ભાઈ? આવી આડોડાઈનુ ફળ આવી તિર્યંચ ગતિ છે બકરીની, ગાયની, ભૂંડણની કૂખે અવતાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com