SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૧૬ अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि। णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि।। ३१६ ।। अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते। ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते।। ३१६ ।। હવે આ અર્થને ગાથામાં કહે છે: અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. ગાથાર્થ- [અજ્ઞાની ] અજ્ઞાની [પ્રવૃતિરૂમાવસ્થિત: તુ] પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો [ોર્મ નં] કર્મફળને [વેયતે] વેદ (ભોગવે) છે [પુન: જ્ઞાની] અને જ્ઞાની તો [કર્મ નં] ઉદિત ( ઉદયમાં આવેલા) કર્મફળને [નાનાતિ] જાણે છે, [ન વેયતે] વેદતો નથી. ટીકા- અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ “હું” પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ “આ હું છું” એમ અનુભવતો થકો) કર્મફળને વેદે છે–ભોગવે છે; અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્દભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્સેલો (–ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ “હું” પણે અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના માત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું “હું” પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી. ભાવાર્થ- અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy