________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ]
[ ૪૦૯
(મંદ્દાાન્તા)
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटं तौ ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः ।। २१८ ।।
થતાં પુદ્દગલદ્રવ્યનો ઘાત, અને પુદ્દગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય ( અર્થાત્ અવશ્ય થવો જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પ૨દ્રવ્યોમાં નથી એમ અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (–માનીએ છીએ ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્દગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્દગલદ્રવ્યમાં નથી.)
(પ્રશ્ન:-) જો આમ છે તો સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? (ઉત્ત૨:-) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્ન:-) તો પછી રાગની કઈ ખાણ છે? (ઉત્ત૨:-) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો ૫રદ્રવ્ય છે, અને સમ્યગ્દષ્ટિમાં (પણ ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ ) છે જ નહિ.
ભાવાર્થ:- આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્દગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્દગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્દગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્દગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્દગલમાં નથી તેમ જ સમ્યગ્દષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે, એ પ્રમાણે જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ Şન્ન જ્ઞાનમ્ દિ અજ્ઞાનમાવાત્ રામ—àૌ મવતિ] આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [ વસ્તુત્વ-પ્રિિહત-દશા દશ્યમાનૌ તૌ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com