________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૩૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ આવ્યો છે. માટે, કહે છે, દર્શક એવો આત્મા-ચૈતયિતા પ્રભુ પુદ્ગલાદિનો નથી, રાગાદિનો નથી. હવે કહે છે
છે?
( આગળ વિચારીએઃ ) જો ચેતયતા પુદ્ગલાદિનો નથી તો ચેતિયતા કોનો છે? ચેતિયતાનો જ ચેતિયતા છે.
(આ) ચેતિયતાથી જુદો એવો બીજો ક્યો ચેતિયતા છે કે જેનો (આ ) ચેતિયતા
(આ) ચેયિતાથી અન્ય કોઈ ચેતયતા નથી. પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે, -એ નિશ્ચય
છે.’
અહાહા...! પૂછે છે કે-ચેતિયતા પુદ્ગલાદિ અને રાગાદિનો નથી તો ચેતયતા કોનો છે? તો કહે છે-ચેતિયતાનો જ ચેતિયતા છે, દેખનારનો જ દેખનાર છે. હા, પણ દેખનારનો દેખનાર છે–એમ કહ્યું ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? અર્થાત્ દેખનારથી જુદો એવો બીજો ક્યો દેખનાર છે જેનો (આ) દેખનાર છે? તો કહે છે-કોઈ નહિ; અર્થાત્ એ બે નથી; પરંતુ તે બે એક ચેતિયતાના-દેખનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે. ચેતિયતા પોતે જ સ્વ અને ચેતિયતા પોતે જ તેનો સ્વામી-એમ તેઓ બે અંશો છે.
અહો ! કેવળીના કેડાયતી દિગંબર સંતોએ ગજબની વાત કરી છે. કહે છેચૈતયિતા તે સ્વ અને ચેયિતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ-વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી; કેમકે અંશ-ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે; અર્થાત્ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
અહાહા....! દયા, દાન, વ્રત આદિના પરિણામથી તો સમ્યગ્દર્શન નહિ, પણ તેને દેખવા-શ્રદ્ધવાથી પણ સમ્યગ્દર્શન નહિ. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષ પણ સમ્યગ્દર્શન થતું નથી. તો સમ્યગ્દર્શન કેમ થાય ? તો કહે છે -હું એક જ્ઞાયક જ છું એમ અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. છાલામાં આવે છે ને કે
મોક્ષમહલકી પ૨થમ સીઢી, યા બિન જ્ઞાન ચરિત્રા; સમ્યક્તા ન લહે સો દર્શન, ધારો ભવ્ય પવિત્રા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com