SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ] [ ૩૫૭ કાંઈ સાધ્ય નથી, તો પછી શાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.’ અહાહા...! પૂછે છે કે-ચેતિયતા રાગનો, પુદ્દગલાદિનો નથી તો કોનો છે? તો કહે છે-ચેતિયતાનો જ ચેતિયતા છે, જાણનારનો જ જાણનાર છે. હા, પણ જાણનારનો જાણનાર કહ્યો ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? તો કહે છે-બે નથી, પરંતુ એ બે એક ચેતિયતાના–જાણનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે. અહો ! દિગંબર સંતોએ પરમાર્થને જાહેર કર્યો છે. ભાઈ! તું રાગનો હું કર્તા એમ માન એ તો ક્યાંય રહી ગયું; અહીં તો રાગને હું જાણું એમ કહીએ એ વ્યવહાર છે અને જાણનારનો જ જાણના૨ છે એમ કહીએ એય સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહા૨ છે–એમ કહે છે. અહાહા...! જાણનારનો હું જાણનાર છું એવો જે ભેદ પડે એય વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહા૨થી કાંઈ સાધ્ય નથી. અહાહા....! જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. આવા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકની દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે જે ધર્મનું પહેલું પગથિયું છે. બાપુ! શુદ્ધ જ્ઞાયકની દૃષ્ટિ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આ તારાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ બધી રાગની ક્રિયાઓ રણમાં પોક મૂકવા જેવી છે. સમજાણું કાંઈ... ? ભાઈ ! તારું અસ્તિત્વ એક જ્ઞાનસ્વરૂપ છે. રાગનું કરવું એ તો એમાં છે નિહ પણ જ્ઞાનના અસ્તિત્વમાં રહીને તું રાગને જાણે એમ કહીએ એય વ્યવહાર છે, ઉપચાર છે. જૈન પરમેશ્વરનું કહેલું તત્ત્વ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ! અહીં તો જાણનારને જાણું છું એવો જે ભેદ પડે એય, કહે છે, વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહા૨થી એને કાંઈ લાભ નથી, અર્થાત્ એવા ભેદરૂપ વ્યવહા૨ના લક્ષે એને સમ્યગ્દર્શન થતું નથી. અહીં તો શાયક જ્ઞાયક જ છે-એ ૫૨માર્થ છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકની અંતર્દષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ કર્તવ્ય છે, ધર્મ છે. આ સિવાય બીજું બધું (રંગરાગ–ભેદનું ) કરવું અને જાણવું તું માન એ બધું મિથ્યાદર્શન છે. અહાહા....! સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ ’-એવી એક સંબંધશક્તિ આત્મામાં છે. એટલે શું? પોતાનો ભાવ-પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-તે પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સ્વભાવમાત્ર સંબંધશક્તિ જીવમાં છે. પરંતુ સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ એમાં નથી. ઝીણી વાત છે પ્રભુ! સ્વભાવમાત્ર વસ્તુમાં છે-સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ નથી. અહીં કહે છે-જાણનારનો જાણના૨ છે એવા વ્યવહારરૂપ ભેદથી તને શો લાભ છે? એમ કે ભેદના લક્ષે તને રાગ જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy