________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૩૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ વિચારવામાં આવે છે:- જો ખડી ભીંત-આદિ ૫૨દ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે ( -જાદું દ્રવ્ય નથી ); ' –આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન ) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંતઆદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત-આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ) જો ખડી ભીંત-આદિની નથી, તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. (એ પ્રમાણે દૃષ્ટાંત કહ્યું. ) જેમ આ દષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાષ્કૃત છે:- આ જગતમાં ચેતિયતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્દગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતિયતાનું (આત્માનું) જ્ઞેય છે, વે, ‘જ્ઞાયક (અર્થાત્ જાણનારો ) ચેતિયતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય ) જે પુદ્દગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી ?' –એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ચેતિયતા પુદ્દગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; ' –આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત છતો ) હોવાથી, ચેતિયતા જો પુદ્દગલાદિનો હોય તો ચેતિયતા તે પુદ્દગલાદિ જ હોય (અર્થાત્ ચેતિયતા પુદ્દગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્દગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચૈતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેયિતા પુદ્દગલાદિનો નથી. (આગળ વિચારીએઃ ) જો ચેતિયતા પુદ્દગલાદિનો નથી તો ચેતયતા કોનો છે? ચેતિયતાનો જ ચેતિયતા છે. ( આ ) ચેતિયતાથી જુદો એવો બીજો ક્યો ચેતિયતા છે કે જેનો (આ) ચેતિયતા છે? (આ) ચેતયતાથી જાદો અન્ય કોઈ ચેતયતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી શાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.
.
(આ રીતે અહીં એમ બતાવ્યું કે: ‘આત્મા ૫૨દ્રવ્યને જાણે છે' –એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com