________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ] કૂટસ્થ સ્થિતિ હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે) ; “તત: તત્ વ »Ç ભવતુ' માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે ).
અહા ! આ કળશમાં કેટલા સિદ્ધાંત ગોઠવ્યા છે? ૧. ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે; ૨. અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ ૩. વળી કર્મ કર્યા વિના હોતું નથી; ૪. તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી; ૫. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય
સિદ્ધાંત છે.
ભાઈ ! આમાં તો “અહં કરોમિ' હું (પરનું) કરું છું એવા અહંકારને મારી નાખે એવું છે. જુઓ, આ લાકડી આમ ઊંચી થઈ ને? એ લાકડી ઊંચી થઈ તે પરિણામ છે અને તે પરિણામ તેના આશ્રયભૂત પરિણામીનું-પુદ્ગલપરમાણુઓનું જ છે, અન્યનું નહિ. વળી તે પરિણામ અર્થાત્ કર્મ કર્યા વિના કેમ હોય? ન હોય. પહેલાં (લાકડી) એક અવસ્થારૂપ હતી તે હવે બદલીને ઊંચી થવારૂપ થઈ તે તેનો કાળ છે, તે એની વર્તમાન યોગ્યતા છે. કાંઈ આ જીવે કે આંગળીઓએ તેને ઊંચી કરી છે એમ નથી. વસ્તુ અજબ છે ભાઈ ! પ્રતિસમય પલટીને કાયમ રહે એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. અહીં કહ્યું ને કે-વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી. માટે આ લાકડીના પરમાણુઓ જ તેના ઊંચા થવારૂપ કર્મના કર્તા છે એ નિશ્ચય છે. હવે આવી વાત બીજે શ્વેતાંબરાદિમાં કયાં છે?
એક શ્વેતાંબર સાધુ લીંબડીમાં અમારી સાથે ચર્ચા કરવા આવ્યા. કહે કે આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું કે અમે કોઈ સાથે ચર્ચા (અર્થાત વાદ) કરતા નથી. ત્યારે એ કહેતો લોકો શું માનશે? (એમ કે તમે આવા મોટા વિદ્વાન-જ્ઞાની ને ચર્ચાથી ડરી ગયા?) તો કહ્યું કે-લોકોને માનવું હોય તે માને, અમારે એનાથી શું કામ છે? કહેશે કે ચર્ચા ન આવડી, બસ એ જ ને? આમ પંદર વીસ મિનિટ ગઈ પછી એ કહ્યું
જુઓ, આ ચશ્મા વિના કાંઈ દેખાય ખરું? ત્યારે કહ્યું કે-ચર્ચા (પૂરી) થઈ ગઈ.
અહાહા...! આવો પ્રશ્ન કે શું ચશ્મા વિના દેખે? દેખવાનું કામ આત્માનું ને ચશ્માથી દેખે, હું! ! બાપુ ! એમ નથી ભાઈ ! અહીં કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com