________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯૬ ]
વન રત્નાકર ભાગ-૯ આત્મા કથંચિત્ એટલે દ્રવ્યસ્વભાવે નિત્ય અનુભવગોચર છે. તો પછી પર્યાયનું શું? પર્યાય છે ને; પર્યાય છે અને વર્તમાન વર્તતી જે પર્યાય દ્રવ્યની દષ્ટિ કરીને પ્રગટ થાય છે તેમાં “આ હું નિત્ય ચિદાનંદસ્વરૂપ ધ્રુવ છું' –એમ જણાય છે. ભાઈ ! ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય જે છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય ભૂતાર્થ, સત્યાર્થ ત્રિકાળી નિત્ય ચૈતન્યચમત્કાર છે. હવે તેને ન જુએ, તેને ન પરખે તે, કહે છે, બૌદ્ધમતીની જેમ મિથ્યાદષ્ટિ છે એમ જાણવું.
વસ્તુ-આત્મા તો પ્રત્યક્ષ સ્વસંવેદનમાં જણાય એવી ચીજ છે, સ્વસંવેદન છે તે પર્યાય છે, પણ તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપને નજરમાં લે છે અને ત્યારે તે પર્યાયમાં
આ હું નિત્યાનંદ પ્રભુ છું' એમ ભાન થઈને નિરાકુળ આનંદનું વેદના થાય છે. આવી સૂક્ષ્મ વાત છે પ્રભુ!
અરે ભાઈ ! બાળપણમાં હતો તે જ આ તું વર્તમાન છે. ભગવાન! એક ક્ષણમાં આ દેહ છૂટી જશે, મસાણમાં રાખના ઢગલા થઈ જશે. બધુંય ફરી જશે, ને તું ક્યાંય (ભવસમુદ્રમાં) જઈને પડીશ. માટે અંદર ત્રિકાળ નિત્ય આનંદનો ઢગલો પડ્યો છે તેની ઉપર નજર નાખ; તેનો વિશ્વાસ કર, તેનો જ સત્કાર કર. જિનવાણીમાં પણ આ જ કહ્યું છે. અહા! જિનવાણી પણ એમ જ ગાય છે કે- આત્મા સ્વસંવેદનમાં જણાય એવો નિત્યાનંદ જ્ઞાનાનંદ પ્રભુ છે.
પહેલાં “અનસૂયા” નું નાટક ભજવાતું તે જોયેલું. અનસૂયાને બાળક થાય છે; તેને તે પારણામાં ફુલરાવે છે ત્યારે ગાય છે-બેટા! શુદ્ધોડસિ, બુદ્ધોદસિ, ઉદાસીનોડસિ, નિર્વિકલ્પોડસિ! બેટા! તું શુદ્ધ છો, બુદ્ધ છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો ! લ્યો, એ વખતે નાટકમાં પણ આવું આવતું! અત્યારે તો બધું બગડી ગયું અત્યારે તો બસ શૃંગાર જ શૃંગાર; નટાઈની કોઈ હદ નહિ. ત્યારે તો વૈરાગ્યરસથી ભરેલાં નાટક ભજવાતાં. અહીં પણ કહે છે-બધી પર્યાયોથી ખસીને અંદર નિત્ય દ્રવ્યમાં રહે એવો ભગવાન આત્મા અંદર નિર્વિકલ્પ છે, શુદ્ધ છે, બુદ્ધ છે. જિનવાણી પણ એને એવો જ ગાય છે.
અહા ! પર્યાયના પ્રેમમાં પડીને આવા મહિમાવંત નિત્ય શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને જે માનતો નથી તે, કહે છે, મિથ્યાષ્ટિ છે –એમ જાણવું. સમજાણું કાંઈ....?
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૦૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ત્માન પરિશુદ્ધ ડુંમ: પરે. ન્ય:' આત્માને સમસ્તપણે શુદ્ધ ઈચ્છનારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com