SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ ] યન રત્નાકર ભાગ-૯ રૂમનું સ્વમાનિયનં વનયત્તિ] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [ તે વર/T:] તેઓ બિચારા, [અજ્ઞાનમઝુમદ:] જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [વર્ષ કૃત્તિ] કર્મને કરે છે; [તત: gવ દિ] તેથી [માવર્કર્તા વેતન: સ્વયં ભવતિ] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [ ન્ય: ૧] અન્ય કોઈ નહિ. ભાવાર્થ- વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની (-મિથ્યાષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨. સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ : મથાળું હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને “પદ્રવ્ય મારું છે' એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદષ્ટિ છે”-ઇત્યાદિ અર્થની ગાથાઓ દષ્ટાંત સહિત કહે છે: * ગાથા ૩૨૪ થી ૩૨૭ : ટીકા ઉપરનું પ્રવચન * અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને “આ મારું છે' એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા ) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ “આ મારું છે' એમ દેખતા નથી.” જાઓ, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુથી અજાણ એવા અજ્ઞાનીઓ વ્યવહાર વિમૂઢ હોય છે. તેઓ સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-દોલત, શરીર આદિ પરદ્રવ્યને “આ મારું છે' એમ માને છે, વ્યવહારથી કહેવાય છે ને? તો અજ્ઞાની અને નિશ્ચય માની “પદ્રવ્ય મારું છે' એમ માને છે. એને સ્વદ્રવ્ય-પદ્રવ્ય, સ્વસત્તા-પરસત્તા સંબંધી કોઈ સુધ-બુધ નથી. પરંતુ જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ છે. શું કહ્યું? નિશ્ચય જે પોતાનું એક શુદ્ધ ચૈતન્યતત્ત્વ ચિદાનંદમય વસ્તુ તેના જાણનારા એવા જ્ઞાનીઓ છે. અહાહા....! હું તો એક ઉપયોગરૂપ ચિમૂર્તિ પ્રભુ આત્મા છું એમ જ્ઞાની જાણે છે. તે પરદ્રવ્યના એક કણમાત્રનેરજકણને કે રાગના કણને – “આ મારું છે' એમ દેખતા નથી માનતા નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy