________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ દષ્ટિ જ છે. કોઈપણ પરદ્રવ્યની ક્રિયા પ્રભુ! તું ન કરી શકે; આ વસ્તુસ્વરૂપ છે. પદ્રવ્યની ક્રિયા થાય તેનો કર્તા આત્મા નથી.
* કળશ ૨૦૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પદ્રવ્યને અને આત્માને કોઈપણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે ?'
- આ કળશ બહુ ઊંચો છે ભાઈ ! ભાષા સાદી છે, પણ ભાવ ખૂબ ગંભીર. કહે છે‘સર્વોfu સંવંધ: નાસ્તિ' કાંઈ પણ સંબંધ નથી. તું તારામાં ને એ એનામાં. માટે તું પરનું કાંઈ કરી શકે નહિ. આ આંખની પાંપણ હલે તે આત્માનું કાર્ય અને આત્મા તેનો કર્તા એમ ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો બીજા પર પ્રભાવ પડે એમ છે નહિ.
હા, પણ વાઘ અને નાગ શાંત થઈને એક સાથે ભગવાનની વાણી સાંભળવા આવે તે અતિશય છે કે નહિ?
- બાપુ! એ તો ઉપચારથી કહેવાય; બાકી અતિશય છે માટે શાંત થઈ જાય છે એમ નથી. પોતાની તે કાળે તે પર્યાય થવાની યોગ્યતા છે તો તે થાય છે અને ત્યારે ભગવા નિમિત્ત છે બસ. ભાઈ ! તે પર્યાયની તે જન્મક્ષણ છે, બાકી ભગવાને એમાં કાંઈ કર્યું છે એમ છે નહિ. આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ત્રણકાળમાં છે નહિ, આ સિદ્ધાંત છે.
[ પ્રવચન નં. ૩૮૬]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com