________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૭૬-૩૦૭ ]
[ ૫૦૧ इति मोक्षो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ मोक्षप्ररूपकः अष्टमोऽङ्कः।। અને ધીર (આકુળતા વિનાનું) –એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિનામાં લીન થયું. ૧૯૨.
ટીકા- આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ- રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
જ્યો નર કોય પર્યો દઢબંધન બંધસ્વરૂપ લખે દુખકારી, ચિંત કરે નિતિ કૈમ કટે યહુ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી; છેદનÉ ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરે દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ આતમ આપ ગહારી. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો.
સમયસાર ગાથા ૩૦૬ - ૩૦૭ : મથાળું ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છે -
ભાઈ ! આ બહુ શાન્તિ ને ધીરથથી સાંભળવા જેવી વાત છે. અહા ! અનંતકાળથી એ સમ્યગ્દર્શન શું ચીજ છે એ સમજ્યા વિના એકલા ક્રિયાકાંડમાં ગરી ગયો છે. પણ ભાઈ ! એ તો બધી ફોગટ મજુરી છે. એમાં જ રાગની મંદતા હોય તો તેને શુભભાવ થાય છે ને એમાં કર્તબુદ્ધિ હોય તો મિથ્યા છે. આ વર્ષીતપ વગેરે કરે છે ને? અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થયા વિના એ તો બધી લાંઘણો છે ભાઈ ! એ બધા ક્રિયાકાંડના ભાવ તો ભવભ્રમણ કરવાના ભાવ છે. એનાથી સંસાર ફળશે, મુક્તિ નહિ થાય. પણ શું થાય? અત્યારે તો ચોતરફ એક જ પ્રરૂપણા ચાલે છે કે-આ કરો ને તે કરો: ઉપવાસ કરો ને ઉપધાન કરો ઈત્યાદિ. પણ બાપુ ! એ બધા શુભભાવ ઝેર છે. અજ્ઞાનીને તો એ ઝેર છે જ, સમકિતી પણ, તે અતીન્દ્રિય આનંદના સ્વાદથી વિપરીત હોવાથી ઝેર જ જાણે છે. અત્યારે તો પ્રરૂપણામાં જ ઉગમણા-આથમણો ફેરફાર થઈ ગયો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com