________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૭ ]
[ ૪૯૯ (પૃથ્વી) प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभरगौरवादलसता प्रमादो यतः। अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।। १९०।।
(શાર્દૂલવિવ્રીહિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः। बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल
चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।। १९१।। (દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યા સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદવ કહે છે કે-“આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી ?' જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં. ૧૮૯.
હવે આ અર્થને દઢ કરતું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [વષય–ભર–રવાર્ મનસતા પ્રમાદ] કષાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે; [યત: પ્રમાનિત: એનર્સ: શુદ્ધમાવ: 5થે મવતિ] તેથી એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે? [બતસ્વરસનિર્મરે સ્વભાવે નિયમિત: ભવન મુનિ:] માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ [પરમશુદ્ધતાં વ્રગતિ] પરમ શુદ્ધતાને પામે છે [વા ] અથવા [ વિરાત્ મુચ્યતે] શીઘ્રઅલ્પ કાળમાં (કર્મબંધથી) છૂટે છે.
ભાવાર્થ -પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦.
હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છે:શ્લોકાર્થ- [શુદ્ધિવિધાયિ પૂરદ્રવ્યું તત્ સમ વા] જે પુરુષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com