SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૦૦ ] [ ૪૬૩ ( અનુદુમ્ ) परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्। बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः ।। १८६ ।। [ સેવ્યતામ્] સેવન કરો કે- ‘[અહમ્ શુદ્ધં વિન્નયમ્ પુર્ પરમં જ્યોતિ: ધ્રુવ સવા વ અસ્મિ] હું તો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જ્યોતિ જ સદાય છું; [તુ] અને [ત્તે પે પૃથલક્ષળા: વિવિધા: માવા: સમુન્નસન્તિ તે અન્ન ન અસ્મિ] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [યત: અત્ર તે સમગ્રા: અપિ મમ પદ્રવ્યમ્] કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે’ . ૧૮૫. હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [ પરદ્રવ્યગ્રતં ર્વન્] જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે [અપરાધવાન્] તે અપરાધી છે [વધ્યતે વ] તેથી બંધમાં પડે છે, અને [સ્વદ્રવ્ય સંવૃત્ત: વૃત્તિ: ] જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે (અર્થાત્ પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે-મગ્ન છે-સંતુષ્ટ છે, પદ્રવ્યને ગ્રહતો નથી) એવો યતિ [અનપરાધ: ] નિ૨૫રાધી છે [ન વધ્યુત] તેથી બંધાતો નથી. ૧૮૬. * * સમયસાર ગાથા ૩૦૦ : મથાળું * હવે આ ઉપદેશની ગાથા કહે છે: * ગાથા ૩૦૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન * જે ( પુરુષ ) ૫૨ના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે.’ જે પુરુષ ૫૨ના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય,..... શું કહ્યું આ ? અહાહા...! પુરુષને ધર્મ કેમ થાય અર્થાત્ તે ધર્મી કેવી રીતે થાય- તે અહીં વાત કરે છે. ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે, ને ૫૨ એટલે બંધનું લક્ષણ રાગાદિ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ હો, એની શ્રદ્ધાનો રાગ હો કે કોઈ પણ પુણ્યભાવ હો, એ બંધનું લક્ષણ છે. આમ બન્નેનાં નિયત નામ નિશ્ચય સ્વલક્ષણોને જાણીને બેની સાંધમાં પ્રજ્ઞા પટકવાથી આત્મા જ્ઞાની અર્થાત્ ધર્મી થાય છે. આત્માનો સ્વભાવ ચેતના છે, અને રાગ ભિન્ન ૫૨ છે; એમ બે વચ્ચે સાંધ છે. ત્યાં સાંધમાં પ્રજ્ઞાછીણી પટકતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની દશાને સ્વ-સન્મુખ વાળતાં ‘સ્વ’ નું જ્ઞાન થાય છે અને તેમાં (નાસ્તિપણે ) રાગ મારી ચીજ નથી એવું જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy