________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૭
कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत्
पण्णाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।। २९७ ।।
प्रज्ञया गृहीतव्यो यश्चेतयिता सोऽहं तु निश्चयतः ।
अवशेषा ये भावा: ते मम परा इति ज्ञातव्याः ।। २९७ ।।
હવે પુછે છે કે-આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્ત૨ કહે
છેઃ
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી ૫૨-જાણવું. ૨૯૭.
ગાથાર્થ:- [ પ્રજ્ઞા] પ્રજ્ઞા વડે [ગૃહીતવ્ય: ] ( આત્માને ) એમ ગ્રહણ કરવો કે[ય: શ્વેતયિતા] જે ચેતનારો છે [સ: તુ] તે [નિશ્ચયત: ] નિશ્ચયથી [અö] હું છું, [અવશેષા: ] બાકીના [યે માવા: ] જે ભાવો છે [તે] તે [મમ પરા: ] મારાથી પર છે [કૃતિ જ્ઞાતવ્ય: ] એમ જાણવું.
ટીકા:- નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક (–ચેતનારો ), તે આ હું છું; અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય ) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, ‘હું ગ્રહણ કરું છું' એટલે ‘હું ચેતું જ છું'; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. અથવા-નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર ( –ચૈતન્યમાત્ર) ભાવ છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com