________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
ભગવાન આત્મામાં જોડ. બાપુ! રાગ ચાહે શુભ હો કે અશુભ-એ સ્વયં દુ:ખરૂપ ને દુઃખના કારણરૂપ જ છે. અહા! રાગ બંધ એટલે દુઃખનું-સંસારનું જ લક્ષણ છે. એમ જાણી એનું લક્ષ સર્વથા છોડી, ઉપયોગને અંતરમાં વાળી સુખધામ પ્રભુ આત્મામાં જોડી દે. અહા ! ઉપયોગની–જ્ઞાનની અંત૨-એકાકાર દશા-પ્રજ્ઞા જ શુદ્ધાત્માને ગ્રહવાનો ઉપાય છે. ભાઈ ! જન્મ-મરણનાં દુઃખોથી મુક્ત થવાની આ એક જ રીત છે. સમજાય છે કાંઈ... ?
માણસને અભ્યાસ નહિ એટલે આ સમજવું કઠણ પડે, પણ આ સમજ્યા વિના તારા દુ:ખનો અંત આવે એમ નથી. બાકી તો કહ્યું છે ને કે
બાલપણ ખેલમાં ખોયા, જીવાની સ્ત્રીમાં મોહ્યા, અને બુઢાપા દેખકર રોયા.' બધાં દુ:ખ જ દુ:ખ છે. દોલતરામજીએ કહ્યું છે ને કે
"
“બાલપનેમેં જ્ઞાન ન લહ્યો, તરુણ સમય તરુણીરત રહ્યો; અર્ધમૃતકસમ બૂઢાપનો કૈસે રૂપ લખૈ આપનો... ?”
પોતાના સ્વરૂપને જાણ્યા વિના બધે દુ:ખ જ છે ભાઈ!
માટે ટૂંકામાં કહીએ કે-રાગથી ખસ, આત્મામાં વસ; આ ટુંકું ને ટચ, એટલું બસ. પણ આમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ હોં. કાંઈ વાતે વડાં થાય એમ નથી.
* ગાથા ૨૯૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી. અહા ! સાધ્ય જે મોક્ષ તેનું સાધન આત્માથી અભિન્ન એક પ્રજ્ઞા જ છે. આત્માનું સાધન આત્મામાં જ છે. એનું સાધન કોઈ બીજી ચીજ-નિમિત્ત કે વ્યવહા૨-નથી. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. બન્નેમાં ‘જ’ લીધું છે. સમ્યક્ એકાંત કર્યું છે.
[પ્રવચન નં. ૩૫૪]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com