________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૪૩ રૂતિ વળ્યો નિબ્રાન્તા
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ बन्धप्ररूपकः सप्तमोऽङ्कः।।
ટીકા- આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ- રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.
જો નર કોય પરે રજમાંહિ સચિહ્ન અંગ લગે વધુ ગાઢ, ત્યાં મતિહીન જા રા વિરોધ લિયે વિચરે તબ બંધન બાઢે; પાય સર્મ ઉપદેશ યથારથ રાગવિરોધ તર્જ નિજ ચાર્ટ,
નાહિં બંધે તબ કર્મસમૂહ જા આપ ગહે પરભાવનિ કા. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાસ થયો.
સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ : મથાળું હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ
* ગાથા ૨૮૬-૨૮૭ : ટીકા ઉપરનું પ્રવચન * “જેમ અધ:કર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (–મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી, તમ....'
જાઓ, સાધુને માટે સાધુએ કહ્યું હોય ને આહાર બન્યો હોય એને અધઃકર્મ કહે છે. સાધુ કહે કે –અમારે માટે આ બનાવજો, પીણું ગરમ કરાવજો ઈત્યાદિ અને ગૃહસ્થો તેમ આહારાદિ કરે એને અધઃકર્મ દોષ કહે છે, તે મહાપાપ છે.
વળી ઉદ્દેશથી નીપજેલું એટલે સાધુના નિમિત્તે ગૃહસ્થો આહારાદિ બનાવે, પાણી ભરી લાવી ઉનું કરે, સાધુને આ જોઈશે ને તે જોઈશે એમ વિચારી અનેક પ્રકારની રસોઈ બનાવે, કરી લાવે, મોસંબી લાવે ઇત્યાદિ બધું ઉદ્દેશીને આહાર બનાવે તે ઉશિક આહાર છે. ભલે સાધુએ કહ્યું ન હોય પણ એમને ઉદ્દેશીને કરે તે ઉશિક આહાર છે.
અહા! અહીં કહે છે-અધ:કર્મથી અને ઉદ્દેશથી નીપજેલો નિમિત્તભૂત જે આહારાદિ તેને સાધુ છોડતો નથી તે, તેના સંબંધે જે પાપભાવ નીપજે છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com