________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ]
વચન રત્નાકર ભાગ-૮ પ્રશ્ન- આનાથી બીજો કોઈ સહેલો મારગ છે કે નહિ?
ઉત્તર:- આ જ સહેલો છે; જે રીતે હોય તે રીતે સહેલો હોય કે જે રીતે ન હોય તે રીતે સહેલો હોય? ભાઈ ! મારગ આ જ છે, ને આ જ સહેલો છે.
હવે કહે છે- “તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (-પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિ ભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે...'
જાઓ, શું કીધું? “તોપણ..” એટલે કે આત્મા સ્વભાવથી તો અકારક જ છે તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત પરિદ્રવ્યને પ્રતિક્રમતો નથી, પચખતો નથી અર્થાત પદ્રવ્યના લક્ષથી હુઠતો નથી અને એનું લક્ષ છોડતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિકભૂત રાગાદિ ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી. અહા ! તે અનાદિથી પરદ્રવ્યના લક્ષમાં દોરાઈ ગયો. જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેમાં ન આવતાં પરદ્રવ્ય-નિમિત્તમાં એ ઘેરાઈ ગયો છે. આ કરું ને તે કરું, દયા પાળું ને વ્રત કરું ને પૂજા કરે ને ભક્તિ કરએમ પદ્રવ્યના લક્ષે એ ગુંચાઈ પડ્યો છે. અને એ પ્રમાણે નિમિત્તભૂત પરદ્રવ્યના લક્ષથી જ્યાં સુધી તે હુઠતો નથી ત્યાં સુધી નૈમિત્તિક રાગાદિથી પણ તે હુઠતો નથી. અહીં નિમિત્તનું લક્ષ એ છોડતો નથી તો એના સંબંધે થતા વિકારને પણ એ છોડતો નથી. આવી વાત છે !
અહા ! તે સ્વ-લક્ષ કરતો નથી ને પરના લક્ષમાં જાય છે તો અવશ્ય તેને વિકાર થાય જ છે. જ્યાં સુધી પર-લક્ષથી પાછો ફરતો નથી ત્યાં સુધી નૈમિત્તિક વિકારથી પણ તે પાછો ફરતો નથી.
આમાં આવ્યું ને? કે- “જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને છોડતો નથી..હવે એમાંથી લોકો એમ અર્થ કાઢે છે કે પરદ્રવ્યને છોડો તો પરદ્રવ્યના સંબંધનો વિકાર છૂટી જશે; માટે પરદ્રવ્ય છોડો, છોડો એમ કહે છે. પરંતુ અહીં તો પરદ્રવ્યનું લક્ષ છોડે ત્યારે એના લક્ષે જે વિકાર થતો હતો એને પણ છોડ છે–એમ કહેવું છે. લ્યો, આવો ફેર છે. સમજાણું કાંઈ...! શરીરાદિ પરદ્રવ્યને છોડવું નથી પણ એનું લક્ષ છોડવું છે એમ વાત છે. (પદ્રવ્ય તો છૂટું જ છે ).
અહાહા...! કહે છે જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને (એનું લક્ષ ) પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિક પુણ્ય-પાપના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી; અહા ! પરદ્રવ્યનું લક્ષ રહે ત્યાં સુધી તો શુભાશુભ વિકાર જ થાય. અને જ્યાં સુધી તે વિકારના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે કર્તા જ છે. અહા ! અજ્ઞાની રાગદ્વેષ-ભાવોનો કર્તા જ છે. વસ્તુનો સ્વભાવ અકર્તા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com