________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮૨
ततः स्थितमेतत्
रागम्हि य दासम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः। तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२।। એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨. ગાથાર્થ- [રા વ ષે ર વાયર્મસુ ૨ ઈવ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ રે માવા: ] જે ભાવો થાય છે [તૈ: ] તે રૂપે [પરિણમેમાન:] પરિણમતો થકો [વેતયિતા] આત્મા [RIવીન] રાગાદિકને [વજ્ઞાતિ] બાંધે છે.
ટીકાઃ- ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.
ભાવાર્થ- અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણે થાય છે.
સમયસાર ગાથા ૨૮૨ : મથાળું તેથી આમ કર્યું-એમ હવે કહે છે:
* ગાથા ૨૮૨ : ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.”
અહાહા...! આત્મા અનંત અનંત ગુણરત્નથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. ચૈતન્યમય રત્નનો આકર નામ ભંડાર-સમુદ્ર ભગવાન આત્મા છે. એની જેને ખબર ન મળે તે અજ્ઞાની છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com