________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ૨૭૯ ટીકા કરતાં મલિન પરિણતિનો નાશ થઈ પરમવિશુદ્ધિ થાઓ. “સમયેસ્તારવ્યોથેર્યવ” સમયસારની વ્યાખ્યાથી (ટીકાથી) જ-એમ પાઠ છે. પણ વ્યાખ્યા તો વિકલ્પ-રાગ છે? આશય એમ છે કે સમયસારની ટીકાના કાળમાં દ્રવ્યસ્વભાવ ઉપર મારું જોર એવું દૃઢ ઘુંટાશે કે એનાથી રાગની કલ્માષિત-મેલી પરિણતિનો નાશ થઈને પરમવિશુદ્ધિ થશે. લ્યો, આચાર્ય ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આઈરિયાણું-પદમાં છે ને? તે કહે છે.
આગમમાં (ધવલમાં) પાઠ છે કે ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં, ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાર્ણ, ઇત્યાદિ. ણમોકારમંત્રમાં અંતિમ પદમાં, “મો લોએ સવ્વ સાહૂણં' એમ છે ને ? એ ઉપરના ચારમાં પણ લાગુ પડે છે. અહાહા...! પંચપરમેષ્ટીપદમાં બિરાજમાન એવા આચાર્ય આ કહે છે કે પ્રચુર અતીન્દ્રિય આનંદની દશાની સાથે અમને કિંચિત્ રાગની-દુઃખની દશા છે. તે વ્યવહાર છે, પણ તે હેય છે, પ્રતિષેધ્ય છે.
ભાઈ ! જે લોકો દુકાન-ધંધો-વેપાર સાચવવામાં ને સ્ત્રી-કુટુંબ-પરિવારની માવજતમાં પડેલા છે એ તો એકલા પાપમાં પડેલા છે; એનો તો નિષેધ જ છે. પણ અહીં કહે છે–આ જે શબ્દશ્રુતનું જ્ઞાન-વ્યવહાર જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન-વ્યવહાર શ્રદ્ધાન ને છે જીવ-નિકાયની અહિંસા-વ્યવહારચારિત્ર છે તે પુણ્યભાવ છે ને તે નિષેધ્ય છે. કેમ? કેમકે એને મોક્ષના કારણરૂપ નિર્મળરત્નત્રયનું આશ્રયપણું નથી. ઝીણી વાત છે પ્રભુ! જેને સ્વના આશ્રયે-અહાહા...! એક જ્ઞાયકભાવના આશ્રયે નિશ્ચયરત્નત્રય પ્રગટયાં છે તેને વ્યવહાર હોય છે, પણ નિશ્ચયરહિતને વ્યવહાર કોઈ વસ્તુ જ નથી. અર્થાત્ એમ નથી કે (અજ્ઞાનીને) વ્યવહારના આશ્રયે નિશ્ચય પ્રગટી જાય. જ્ઞાનીને વ્યવહાર હોય છે અવશ્ય, પણ એ વ્યવહારના આશ્રયે એને જ્ઞાનાદિ નથી. જ્ઞાનીને એ વ્યવહાર હેયબુદ્ધિએ હોય છે ને સ્વ-સ્વભાવના આશ્રયે તેનો તે પ્રતિષેધ કરે છે. સમજાણું કાંઈ....?
એ જ કહે છે કે વ્યવહારનય પ્રતિષેધ્ય છે, “અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે.”
જોયું? કહે છે-શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, અહાહા..! પૂરણ જ્ઞાનાનંદ-પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે ને જે અંતર-સ્થિરતા થાય એ ઐકાંતિક છે. સમ્યક એકાંત છે. એટલે શું? કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચયરત્નત્રય થાય જ અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. લ્યો, આવી વાત છે!
શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધજ્ઞાનઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મસ્વરૂપે ત્રિકાળી વિરાજે છે તે એક જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે; આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com