________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ]
ચન રત્નાકર ભાગ-૮ ભાઈ ! ભગવાન જિનવરનો માર્ગ પચાવવો મહા કઠણ છે. જેને તે પચે એને તો ભવ રહે જ નહિ. જેમ ભગવાન જિનવરને ભવ નથી તેમ તેના માર્ગમાં પણ ભવ નથી કેમકે તેમાં ભવના ભાવનો અભાવ છે. અહાહા..! ભગવાનના માર્ગમાં રાગ ને રાગની ભાવનાનો અભાવ છે. હવે એ લોકો કહે કે ચર્ચા કરો, પણ શાની ચર્ચા પ્રભુ? ભગવાન આત્મા સિવાય પરના-બીજાના આશ્રયે જે ભાવ થાય અને તમે ધર્મ મનાવવા ઇચ્છો છો ત્યાં શાની ચર્ચા પ્રભુ? આ ચોકખું તો કહે છે કે અભવ્ય જીવ અનંતવાર મહાવ્રતાદિરૂપ વ્યવહારચારિત્ર પાળે છે, છતાં તે નિશારિત્રી, અજ્ઞાની મિથ્યાદષ્ટિ જ છે, તેને કદીય ભવનો અંત થતો નથી, સંસાર મટતો નથી.
લોકોને એમ લાગે કે આ ઘરનું કાઢયું છે, પણ ભાઈ ! આ તો શાસ્ત્રમાં છે એના અર્થ કર્યા છે. તે જે માનેલી વાત હોય એનાથી ધર્મની જુદી વાત હોય એટલે તને ગોઠે નહિ ને રાડ પાડે કે આ ઘરની વાત છે, પણ શું થાય ? આ તો ભગવાનના પેટની વાત આચાર્ય ખોલીને તારા હિતને અર્થે કહે છે.
કહે છે–આવું ભગવાન જિનવરે કહેલું વ્યવહારચારિત્ર અભવ્ય પણ પાળે છે છતાં તે ચારિત્રરહિત, અજ્ઞાની ને મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જે આત્માના જ્ઞાન-શ્રદ્ધાને તેનાથી રહિત છે. અહા ! સમ્યગ્દર્શન વિના વ્યવહારચારિત્ર કોઈ ચારિત્ર નથી, માત્ર થોથાં છે. માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવા યોગ્ય છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
* ગાથા ૨૭૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યજ્ઞાન-શ્રદ્ધાન વિના તે ચારિત્ર “સમ્યફચારિત્ર' નામ પામતું નથી....'
શું કીધું? કે અભવ્ય ભગવાને કહેલું કે મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર તે બરાબર નિરતિચાર પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો તેને અભાવ હોવાથી એ બધું એને અચારિત્ર નામ અશાંતિ-દુ:ખ જ છે. અહા ! જેમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી તે વ્યવહારચારિત્ર દુ:ખે જ છે.
હવે આમ છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! એ તો દુઃખ ભોગવતાં ભોગવતાં નિરાકુળ સુખ આવે-એના જેવી (મિથ્યા) વાત છે. ભાઈ ! વ્યવહારચારિત્રની દશાની દિશા પર તરફ છે, ને સમકિત આદિ ધર્મની દશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા જ વિરુદ્ધ છે; તો પછી જેની દિશા પર તરફ છે એવી દશામાંથી સ્વ-આશ્રયની દિશાવાળી દશા કયાંથી થાય ? ન જ થાય.
અહા ! જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ભગવાન જ્ઞાયક જણાય છે (જાઓ ગાથા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com