________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૭ अथैतदेव दर्शयति
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७।।
सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्। प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।। १९७।।
હવે આ જ વાતને પ્રગટ દાંતથી બતાવે છે:
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
ગાથાર્થ [શ્ચિત ] કોઈ તો [ સેવમન: uિ] વિષયોને સેવતો છતાં [ ને સેવ7] નથી સેવતો અને [મસેવમાન: ]િ કોઈ નહિ સેવતો છતાં [ સેવ:] સેવનારો છે– [ ચ ]િ જેમ કોઈ પુરુષને [પ્રઝરવેણી ] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી કિયા ) વર્તે છે [ : પ્રારT: કૃતિ ભવતિ] તોપણ તે પ્રાકરણિક નથી.
ટીકાઃ-જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્દભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થ-કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તો પણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ
૧. પ્રકરણ = કાર્ય,
૨. પ્રાકરણિક = કાર્ય કરનારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com