________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૪૭
(મન્વાાન્તા) नियतं
सम्यग्दृष्टेर्भवति
ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ।। १३६ ।।
નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદષ્ટિ વિષય સેવનારો છે.
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ સમ્યગ્દછે: નિયતં જ્ઞાન-વૈરાગ્ય-શક્તિ: ભવત્તિ ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [યસ્માત્] કારણ કે [અયં] તે (સમ્યગ્દષ્ટિ જીવ ) [ સ્વ-અન્ય-પ-આપ્તિ-મુન્ત્યા] સ્વરૂપનું ગ્રહણ અને ૫૨નો ત્યાગ કરવાની વિધિ વડે [સ્તું વસ્તુત્યું નયિતુમ્] પોતાના વસ્તુત્વનો ( યથાર્થ સ્વરૂપનો ) અભ્યાસ કરવા માટે, [ફવું સ્વ = પરં] ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ ૫૨ છે' [વ્યતિક્] એવો ભેદ [તત્ત્વત: ] ૫૨માર્થે [જ્ઞાત્વા] જાણીને [ સ્વસ્મિન્ આસ્તે] સ્વમાં રહે છે (-ટકે છે) અને [પાત્ રચાયોત્] પરથી-રાગના યોગથી[ સર્વત: ] સર્વ પ્રકારે [વિનતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.
*
*
સમયસાર ગાથા ૧૯૭ : મથાળું
હવે આ જ વાતને પ્રગટ દષ્ટાંતથી બતાવે છે:
* ગાથા ૧૯૭ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે,...’
શું કહ્યું આ ? કે જેમ કોઈ છોકરાનાં લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામીપણું નથી તેથી તે કામનો કરનારો નથી, કેમ કે તે ગૃહસ્થ કામ તો છોકરાના પિતા વતી કરે છે. જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com