SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૩૬ विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो।। २३६ ।। विद्यारथमारूढ: मनोरथपथेषु भ्रमति यश्चेतयिता। स जिनज्ञानप्रभावी सम्यग्दृष्टिातव्यः।। २३६ ।। હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે: ચિખૂર્તિ મન-૨થપંથમાં વિધારથારૂઢ ઘૂમતો, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૬. ગાથાર્થ - [: વેતયિતા] જે ચેતયિતા [ વિદ્યારથર્ મારુઢ:] વિઘારૂપી રથમાં આરૂઢ થયો થકો (-ચડ્યો થકો) [ મનોરથuથેy] મનરૂપી રથ-પંથમાં ( અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [ શ્રમતિ] ભ્રમણ કરે છે, [૧] તે [વિજ્ઞાનપ્રમાવી] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [ સભ્ય:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ- પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે–વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે. આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી ( જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy