________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાયકભાવમય પૂર્ણાનંદ પ્રભુ આત્માનો અનુભવ કર્યો છે. અહા ! પોતે સદાય અકષાયસ્વભાવ, પૂરણ વીતરાગસ્વભાવ છે એમ જેની પ્રતીતિમાં આવ્યું છે તે ધર્મી છે. આવા ધર્મીને જગતના કોઈ પદાર્થમાં મુંઝવણ નથી. અહા ! અમે ધર્મી છીએ ને અમને માનનારા થોડા ને જગતમાં બધા જૂઠાને માનનારા ઘણા-એમ ધર્મીને મુંઝવણ નથી. ધર્મી તો જાણે છે કે જગતમાં જpઠાઓની ત્રણે કાળ બહુલતા છે. વળી સને સંખ્યાથી શું કામ છે? સત્ તો સ્વયંસિદ્ધ સ્વભાવથી સત્ છે. અહા! આવો મારગ બાપા! પ્રભુ! તારા મોક્ષના પંથડા અલૌકિક છે ભાઈ ! આ સત્ કેવું છે ને તેને માનનારા સાચા કેવા હોય તે તને કદી સાંભળવા મળ્યું નથી. પણ ભાઈ ! એના વિના જિંદગી એળે જશે હોં.
અહા! દેહદેવળમાં ભગવાન આત્મા અનંતગુણનો સાગર પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે બિરાજે છે. અંતરમાં તેનો આદર કરીને તેના ઉપર જેણે દૃષ્ટિ સ્થાપી છે તે ધર્મી-સમ્યગ્દષ્ટિ છે. ધર્મીને એક શાકભાવમયપણું છે એમ આવ્યું ને? એટલે શું? એટલે એમ કે ધર્મી જીવનો વિષય પર નથી, રાગ નથી ને પર્યાય નથી; પણ તેનો વિષય એક જ્ઞાયકભાવ જ છે. તેથી કહે છે કે ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની થતી જ નથી. બહારમાં પ્રતિકૂળતા હોય તો રંજ નહિ ને બહારમાં અનુકૂળતા હોય તો રાજીપો નહિ. સર્વ પરપદાર્થ જ્યાં માત્ર છે ત્યાં અનુકૂળ –પ્રતિકૂળ શું?–અહા! આમ જાણતો તે પરમાં સાવધાની કરતો નથી ને સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. ભાષા જ એમ છે જુઓને? કે “મોહનો (તેને) અભાવ હોવાથી...' , મોટું કહેતાં પરમાં સાવધાનીનો વા પરમાં મુંઝાઈ જવાનો સમકિતીને અભાવ છે. મોહ એટલે જ પરમાં સાવધાની અથવા મોહ એટલે પરમાં મુંઝવણ. તો તે મોહ જ્ઞાનીને નથી માટે તે અમૂઢદષ્ટિ છે-એમ કહે છે.
હવે કહે છે-“તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.'
જોયું? સમકિતીને સ્વરૂપમાં સાવધાની હોવાથી કોઈ પર પદાર્થમાં મૂઢતા નથી. જાઓ, ક્ષાયિક સમકિતી શ્રેણીક રાજાને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો તેઓ હાલ નરકમાં છે જ્યારે કોઈ અનંત સંસારી અભવિ જીવ પંચમહાવ્રતાદિ ચોખ્ખા પાળીને શુક્લલશ્યાની નવમી રૈવેયક જાય. પણ એમાં શું છે? એ તો જે તે સમયની પર્યાયની યોગ્યતા છે એમ જ્ઞાની યથાર્થ જાણતો હોવાથી નરકના સંયોગમાં મુંઝાતો નથી. તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પણ નિર્જરા જ છે એમ કહે છે.
* ગાથા ૨૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે.' જોયું? પુણ્યના ભાવને, પાપના ભાવને, નિમિત્તને, સંયોગને ઇત્યાદિ જગતના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com