________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ શંકા હોતી નથી. આવો ધર્મ ને આવા ધર્માત્મા! બાપુ ! જેના ફળમાં અનંત અનંત આનંદ પ્રગટે તેવો ઉપાય પણ આવો અલૌકિક જ હોય ને! અહો ! ગાથા કોઈ અલૌકિક છે.
અહા! સમ્યગ્દષ્ટિને એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા અથવા ભય કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. જુઓ, શું કહ્યું આમાં? આ કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો કોણ છે? તો કહે છે-મિથ્યાત્વાદિ ભાવો છે. કર્મબંધ સંબંધી શંકા કરનાર મિથ્યાત્વાદિ ભાવો છે-એમ કહે છે. અહા! મિથ્યાત્વને લઈને સંદેહ પડે છે કે-હું બંધમાં છું, મને કર્મબંધ છે.
અહીં મિથ્યાત્વાદિમાં આદિ એટલે શું?
આદિ એટલે અવિરતિ, કષાય ને યોગ-બધા પરિણામ. તેમાં મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય ઇત્યાદિ બધા સાથે ભેગા જ છે ને?
પ્રશ્ન- તો શું મિથ્યાત્વાદિ ચારેયનો (સમકિતીને) અભાવ છે?
સમાધાન- હા, ચારેયનો અભાવ છે. મૂળ પાઠમાં છે, જુઓને! છે ને પાઠ? કે‘નો વેત્તારિ વિ પણ છરિ' મિથ્યાત્વાદિ ચારેય પાદને જે છેદે છે-તે નિઃશંક્તિ સમ્યગ્દષ્ટિ છે. ભાઈ ! તેમાં ખૂબી તો એ છે કે એક જ્ઞાયકભાવમયપણાની દષ્ટિમાં, રાગનો સંબંધ છે ને કર્મનો સંબંધ છે એવી શંકા કરનારા મિથ્યાત્વભાવનો અભાવ છે. છે ને અંદર? ભાષા શું છે? જુઓને? કે-“કર્મબંધ સંબંધી શંકા કરનારા” -કોણ? કે મિથ્યાત્વાદિ ભાવો” વિપરીત માન્યતા આદિ. અહા ! જ્ઞાનીને તેનો અભાવ છે. વિપરીત માન્યતા છે તે કર્મના સંબંધની શંકા કરે છે, જ્યારે અવિપરીત (યથાર્થ) માન્યતા અબંધપણાને મુક્તસ્વભાવને સ્વીકારે છે.
પ્રશ્ન- ચારેયનો અભાવ કહ્યો છે તે દ્રવ્યમાં કે પર્યાયમાં?
સમાધાન - પર્યાયમાં અભાવ છે. એ સંદેહાદિનો અભાવ કહ્યો ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે, કેમકે તે એકેય વસ્તુમાંપૂર્ણાનંદસ્વરૂપ મુક્તસ્વરૂપ પ્રભુ આત્મામાં કયાં છે? નથી; તો આત્મદષ્ટિમાં પણ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિમાં મિથ્યાત્વાદિ ચારેય નથી. ભારે સુક્ષ્મ વાત! બાપા! આ તો કેવળીનાં પેટ આચાર્ય ભગવાન ખોલે છે. આ પહેલી નિઃશંકિતની ગાથા બહુ ઊંચી છે ભાઈ ! હું એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપ અબદ્ધ-સ્કૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છું એવું ક્યાં ભાન થયું ત્યાં બંધાયેલો છું”—એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિભાવોનો અભાવ થઈ જાય છે. અહો ! સમ્યગ્દર્શન કોઈ અદ્દભુત અપૂર્વ ચીજ છે!
શું કહે છે? જુઓને! કે “કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com