SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૯ ] [ ૪૮૧ નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ મુક્તસ્વરૂપ જ છે, અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪-૧૫મી ગાથામાં આવ્યું ને કે-‘નો પસ્સવિ અપ્પાનું અવËપુદું...'; ભાઈ ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષસ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં ) એનો મોક્ષ થઈ ગયો. કહે છે–જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે અર્થાત્ ખરેખર મને કર્મનો સંબંધ છે-એવો સંદેહ વા શંકા તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને આવો સંદેહ હોતો નથી. અહા ! બંધના સંબંધરહિત અબંધસ્વરૂપ ચિન્માત્ર વસ્તુને જે દેખે છે તેને બંધની શંકા હોતી નથી. પર્યાયમાં રાગનો ને નૈમિત્તિકભાવનો સંબંધ છે પરંતુ એ તો પર્યાયબુદ્ધિમાં (પર્યાયની દષ્ટિમાં ) છે. દ્રવ્યદૃષ્ટિએ તો પૂર્ણાનંદનો નાથ ચિભૂર્તિ પ્રભુ આત્મા અબઢ જ છે અને આવા અબનો નિ:સંદેહ અનુભવ થતાં તેને બદ્ધનાં (બદ્ધ હોવાનાં) સંદેહ-શંકા-ભય હોતાં નથી. અરે ભાઈ ! ‘એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે'-એનો અર્થ શું? અનંતગુણમય પ્રભુ આત્માને રાગનો ને કર્મનો સંબંધ છે-એનો અર્થ શું? અહા! એ તો મિથ્યા ભ્રમ છે. અહીં તો આ કહ્યું ને ? કે- એક જ્ઞાયકભાવમયપણાને લીધે...' અરે ભાઈ ! આત્મા એક જ્ઞાયકભાવમય જ છે; રાગમય કર્મમય છે જ નહિ; રાગવાળો કે કર્મવાળો કે પર્યાયવાળો આત્મા (શુદ્ધ દ્રવ્ય ) છે જ નહિ. સમજાણું sis...? પ્રશ્ન:- તાદાત્મ્ય સંબંધ ન માને પણ સંયોગ સંબંધ તો છે ને? સમાધાનઃ- અરે ભાઈ! સંયોગ સંબંધનો અર્થ શું? એનો અર્થ જ એ છે કે એ સંયોગી પદાર્થ-કર્મ કે રાગ-ભગવાન જ્ઞાયકસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્મામાં છે જ નહિ. અહા ! આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદની શક્તિથી ભરપૂર સત્ત્વમય તત્ત્વ છે. એ તો અહીં જ્ઞાનથી (જ્ઞાનની પ્રધાનતાથી) લીધું છે તેથી ‘જ્ઞાયકભાવમયપણાને લીધે ' એમ કહ્યું છે. બાકી આનંદથી જુઓ તો આત્મા એક આનંદમયભાવ છે. તેને રાગનો કે કર્મનો સંબંધ છે એવી જ્ઞાનીને-અતીન્દ્રિય આનંદના ભોગવનારને-શંકા નથી એમ કહે છે. અહા ! પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અભેદ એક આનંદમયભાવ છે, એક જ્ઞાયમયભાવ છે, એક પ્રભુતામયભાવ છે. અનંતગુણનો એક પિંડ છે ને ? તેથી અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મા એક જ્ઞાયકમયભાવ છે. અહા ! આવા નિજસ્વરૂપનો અનુભવ કરનાર જ્ઞાનીને, હું રાગના સંબંધવાળો, વિભાવના સંબંધવાળો છું-એવી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy