________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨ ]
વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂનવિદ્રહિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १६०।। -તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯.
હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્ધ - [ તત્ સ્વત: સિદ્ધ જ્ઞાનમ્ વિજન પૂરું] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [અનારિ] અનાદિ છે, [ અનન્તર્] અનંત છે, [ H] અચળ છે. [ રૂદ્ર યાવત્ તાવત્ સવા ઇવ દિ ભવેત્ ] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [બત્ર દ્વિતીયોદય: ૧] તેમાં બીજાનો ઉદય નથી. [ત ] માટે [ સત્ર કાસ્મિન્ ગ્વિન ન ભવેત્] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [જ્ઞાનિ: ત–મી:
ત:] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે.
ભાવાર્થ:- “કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે-આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્ન- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?
સમાધાન - ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com