________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૩૯ (શાર્દૂનવિદ્રહિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६ ।।
શાશ્વત, એક અને સંકલવ્યક્ત (–સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ યત્] કારણ કે [વતમ્ વિ–નો$] માત્ર ચિસ્વરૂપ લોકને [ સાં સ્વયમેવ જવે: નોકયતિ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [ત માર:] તેનાથી બીજો કોઈ લોક- [વયં નો: અપર:] આ લોક કે પરલોક[તવ ન] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [તસ્ય ત–મી: 7: અસ્તિ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરીકૃ: સનું જ્ઞાન સ વિન્ધતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદો અનુભવે છે.
ભાવાર્થ- “આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?' એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. “પરભવમાં મારું શું થશે?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ [નિર્મદ્ર-વિત–વેદ-વે –વનાત્] અભેદસ્વરૂપ વર્તતા વેધવેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ય 95 અન્ન જ્ઞાન સ્વયં બનાવું નૈ. સંવ વેદ્યતે] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડ) સદા વેદય છે, [ H5| Pવ દિ વેરા] તે આ એક જ વેદના (જ્ઞાનવેદના) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ જ્ઞાનિન: બન્યા શાતિ–વેના ઇવ દિ ન વ ભવેત] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (– પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [તમી : 7:] તેથી તેને વેદનાનો ભય ક્ય સંથી હોય? [સ: સ્વયં સતત નિરશં: સનં જ્ઞાન સીવિન્ધતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદી અનુભવે છે.
ભાવાર્થ- સુખદુ:ખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com