________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી રર૭ ]
[ ૪૧૯ (શાર્દૂનવિવ્રીહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। १५३ ।।
કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ ન હતાં ત્યg : ” તે તિ વયં ન પ્રતીમ:] જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શક્તા નથી. [ વિન્ત] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે- [ મgિ hત: પિ વિચિત્ અપિ તત્વ વર્મ સવશેના લાપતેત] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે. [તરમન સાપતિને તુ] તે આવી પડતાં પણ, [–પરમજ્ઞાનસ્વભાવે રિશ્વત: જ્ઞાની] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [કર્મ] કર્મ [f 57 5થ વિરું તે] કરે છે કે નથી કરતો [તિ : નાનાતિ] તે કોણ જાણે?
ભાવાર્થ- જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ તત્વજ્ઞાનીઓ જ- ) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com