________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
(શાર્દૂલવિીડિત )
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तु क्षमन्ते परं पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
यद्वजेऽपि
सर्वामेव
निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न હિ।।૪।।
જાણતા નથી. મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહા૨થી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે ? ૧૫૩.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે
છેઃ
શ્લોકાર્થ:- [યત્ મય-વલત્—ઐલોય-મુત્તુ-અધ્વનિ વન્દ્રે પતતિ ગપિ] જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં, [સમી] આ સમ્યગ્દષ્ટિ જીવો, [નિસર્ન—નિર્ભયતા] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [સર્વમ્ વશાં વિદાય] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વર્ અવધ્ય-વોધ-વપુત્રં નાનન્ત:] પોતે પોતાને (અર્થાત્ આત્માને ) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય ( અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [ વોષાત્ વ્યવત્તે ન હિ] જ્ઞાનથી ચ્યુત થતા નથી. [ફવં પરં સાહસક્ સભ્યદદય: વન્તુ ક્ષમત્તે] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪.
* * *
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭:
: મથાળું
હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છેઃ
* ગાથા ૨૨૪ થી ૨૨૭ઃ ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે.’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com