________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન- વ્યવહારથી કરે છે, પણ બેય બંધનાં જ કારણ છે એમ તે જાણે છે. એ તો કહ્યું તું ને કે
ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ...” અહા! લોકોને ખબર નથી કે ચક્રવર્તી કોને કહેવાય? જેની સોળ હજાર દેવી સેવા કરતા હોય, જેના ઘરે ચૌદ રત્ન ને નવ નિધાન હોય, જેને ઘેર ૯૬ હજાર રાણીઓ હોય, અહાહા...! જેને ૭ર હજાર નગર ને ૯૬ કરોડ ગામ હોય, જેનું ૯૬ કરોડનું પાયદળ હોય-એવા અપાર વૈભવનો સ્વામી ચક્રવર્તી હોય છે. તોપણ કહ્યું ને કે
ચક્રવર્તીકી સંપદા, અસ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિ, સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” સમકિતી ધર્મી જીવ આ બધી સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. કેમ? કેમકે એની દષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પર હોય છે. આવો મારગ બાપા ! દુનિયાથી સાવ જુદો છે ભાઈ! આ વેપાર (પાપનો) કરી ખાય એ વાણિયાઓને ખબર નહિ પણ બાપુ ! આત્માનો વેપાર કરતાં આવડે તે ખરો વાણિયો છે.
અહીં કહે છે કે જેને આત્માના નિર્મળ નિરાકુળ આનંદનો રસ આવ્યો છે તેને પરનો ભોગ ઝેર જેવો લાગે છે અને તે ધર્મી-ધર્માત્મા છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે
* કળશ ૧૫ર: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યત્ વિન ર્મ વ »ર્તાર સ્વરુનેન વનીત નો યાન' કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ).
અહા ! પુણને લઈને આ સામગ્રી આવી તો તે કાંઈ એમ નથી કહેતી કે- તું મને ભોગવ. પણ ‘ત્તિ]: Jવ દિ દુર્વાણ: વર્મા: યત્ છન્ન પ્રાપ્નોતિ' ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. અહા ! રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. અહા ! ફળની જેને ઇચ્છા છે અર્થાત્ ભોગવવાના રાગમાં જેને રસ છે તે કર્મ કરતો થકો કર્મના ફળને અર્થાત્ ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે.
‘જ્ઞાન સન' માટે જ્ઞાનરૂપે રહેતો એટલે કે શુદ્ધ ચિઘન પ્રભુ આત્મામાં રહેતો અને ‘ત અપસ્ત–પારિવ:' જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે અર્થાત્ રાગને ભોગવવાના રસનો જેણે નાશ કરી નાખ્યો છે એવો ‘મુનિ:' મુનિ અર્થાત્ સમકિતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com