SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૧૩ ધર્માત્મા “ત–ન–પરિત્યા– –શીન:' કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, ‘વર્ષ પૂર્વાણ: ગપિ ' કર્મ કરતો છતો પણ “ TT નો વધ્યતે' કર્મથી બંધાતો નથી. કળશટીકામાં “મુનિ'નો અર્થ શુદ્ધસ્વરૂપના અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવએમ કર્યો છે. અહાહા...! કેવો છે તે “મુનિ' કહેતાં સમકિતી ધર્મી જીવ? તો કહે છેકર્મના ફળના ત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે તેવો તે ધર્મ છે. અહાહા...! ધર્મીનો તો એક જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવે રહેતા તેને કર્મ કરવા પ્રતિ ને કર્મ ભોગવવા પ્રતિ રાગરસ ઊઠી ગયો છે. અહાહા...! માતા સાથે જેમ ભોગ ન હોય તેમ ધર્મીને જડના ભોગ ન હોય. તેને કર્મના ઉદયથી મળેલી સામગ્રીને ભોગવવાનો રસ, જેમ મા-દીકરાને ભોગવવાનો રસ હોતો નથી તેમ, ઊડી ગયો છે. સમજાણું કાંઈ....? ભારે કઠણ વાત ભાઈ ! અરે પ્રભુ! તારા સત્નો મારગ તે કદી સાંભળ્યો નથી. અહી કહે છે-“ત–ન–પરિત્યા– –શીન:' કર્મના ફળના પરિત્યાગરૂપ જ ધર્મીનો એક શીલ-સ્વભાવ છે. ધર્મીનો તો રાગના ત્યાગરૂપ જ એક સ્વભાવ છે. તેને રાગ કરવા પ્રતિ ને ભોગવવા પ્રતિ રસ જ નથી. માટે કહે છે-તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. ગજબ વાત છે ભાઈ ! પ્રશ્ન:- તો બીજે આવે છે કે અનાસકિતએ ભોગવવું; આ એ જ વાત છે ને? ઉત્તર:- અરે ભાઈ ! અનાસક્તિ એટલે શું? અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ ઉડી ગયો છે. માટે “ભોગવવું”—એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેમ કહેવાય? ભોક્તા થઈને ભોગવે છે તેને અનાસક્તિ છે જ નહીં. અહીં તો અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે-એમ વાત છે. અહા ! ધર્મીને આત્માના આનંદના રસ આગળ ચક્રવર્તીના રાજ્યની સંપદાનો પણ રસ ઉડી ગયો છે. જુઓ, પહેલા દેવલોકનો સૌધર્મ ઇન્દ્ર છે. તે સમકિતી એક ભવતારી છે. તેને કોડો અપ્સરાઓ-ઇન્દ્રાણીઓ છે. પણ તેને ભોગ પ્રત્યે ઉત્સાહુ નથી–રસ નથી; અંદરમાં રસ ઉડી ગયો છે. જેમ કોઈ આર્યના મોંમાં કોઈ માંસ મૂકી દે તો તેમાં શું એને રસ છે? જરાય નહિ. તેમ ધર્મીને આત્માના આનંદના રસ આગળ પર ચીજની ઇચ્છાનો રસ ઉડી ગયો છે; તેણે પરચીજની ઇચ્છાના રાગનો નાશ કરી નાખ્યો છે અને તેથી તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, પણ તેને નિર્જરા થાય છે. અરે ભાઈ ! આવું મનુષ્યપણું મળ્યું ને જો આ ન સમજ્યો તો બધા ઢોરના અવતાર તારા જેમ નિષ્ફળ ગયા તેમ આ પણ નિષ્ફળ જશે. ભલે બહારમાં ખૂબ પૈસા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy