SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૭૫ (શાર્દૂત્રવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तु नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १५०।। કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્ય પડ્યું થયું કાદવથી લેપાય છે ( અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેવાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. ભાવાર્થ- જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ રૂદ] આ લોકમાં [ યસ્ય યાદ : હિ સ્વભાવ: તાદ ત વાત: સ્તિ] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. [WS:] એવી વસ્તુનો જે સ્વભાવ તે, [ પરે.] પરવસ્તુઓ વડે [વથ હિ] કોઈ પણ રીતે [બન્યોદશ:] બીજા જેવો [ તું ના શયતેકરી શકાતો નથી. [ દિ] માટે [ સન્તતં જ્ઞાન ભવત] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [ીવન પિ આજ્ઞાનું ન ભવેત્] કદી પણ અજ્ઞાન થતું નથી; [ જ્ઞાનિન] તેથી હે જ્ઞાની ! [ મુંદ્ઘ ] તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ, [૩૬] આ જગતમાં [ પર—પરાધ–નિત: વન્ય: તવ નારિસ્ત ] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત પરના અપરાધથી તને બંધ થતો નથી.) ભાવાર્થ- વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પારદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો પદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે” એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦. Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy