________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૧ કરે તે એથીય વિશેષ મંદકષાયના પરિણામ છે. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક-અધિક મંદકષાયના પરમ શુક્લલેશ્યાના પરિણામ થાય. મંદકષાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતાં લેતાં ઠેઠ “હું એક જ્ઞાયકભાવ છું”—એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદકષાયના પરિણામ છે, પણ તે અકષાયભાવ નથી. ભાઈ ! કષાયભાવના આશ્રયે અકપાયભાવ-વીતરાગભાવ ન પ્રગટે. જ્યાં સુધી અંદર “હું એક જ્ઞાયકભાવ છું” એવો પણ વિકલ્પ છે ત્યાં સુધી તેને સ્વનો આશ્રય નથી અને સ્વના આશ્રય વિના, સ્વમાં અભેદરૂપ પરિણમન થયા વિના વીતરાગતા કે સમ્યગ્દર્શન થતું નથી. પંડિત શ્રી ટોડરમલજીકૃત મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ આનો ખુલાસો છે. અહા ! છતાં આ અજ્ઞાનીઓ કેમ માનતા નહિ હોય? અરે પ્રભુ! તું શું કરે છે આ? ભાઈ ! તારી દષ્ટિને મેળ ન ખાય માટે સત્યને ઉડાવી દે છે? ભાઈ ! એનું ફળ બહુ આકરું છે હોં. વ્યવહારના-રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ ! તારો સંસારની રઝળપટ્ટીમાં-દુ:ખમાં ગયો છે.
અહીં ભાવાર્થમાં શ્રી જયચંદજી કહે છે જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ વેધભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને
દ? માટે હવે કહે છે-“ આવી અવ્યવસ્થા જાણીને....' જોયું ? જ્ઞાની પોતે જાણનાર જ રહે છે. આ સિદ્ધાંત છે કે જ્ઞાની જાણનાર જ રહે છે. કહે છે-“આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.” આવી વાત છે.
આની સ્પષ્ટતા તો થઈ ગઈ છે. અહીં શું કહે છે? કે વેદકભાવ એટલે વેદવાનોભોગવવાનો ભાવ. પર પદાર્થના લક્ષથી વેદનાનો ભાવ તે વેદકભાવ છે, અને વેધ એટલે વાંછા કરનારો ભાવ, અર્થાત્ આને હું ભોગવું એવી ઇચ્છા કરનારો ભાવ તે વેધભાવ છે. અહીં કહે છે-તે બન્નેને કાળભેદ છે. બન્નેનો મેળ ખાતો જ નથી. કોઈ પણ સામગ્રીનીસ્ત્રી, પૈસા, મકાન આદિની વાંછા થઈ તે વેધભાવ. તે વેધભાવના કાળે તે વસ્તુ હોતી નથી. વસ્તુ જો હોય તો વાંછા શું કામ થાય ? એટલે ઇચ્છાના કાળે ભોગવવાનો કાળ હોતો નથી. અને જ્યારે વસ્તુ આવે અને ભોગવવાનો કાળ હોય ત્યારે ઇચ્છા ચાલી ગઈ હોય છે. પછી વેદકભાવ કોને વેદે ? આ પ્રમાણે વેધભાવના વેદનની અનવસ્થા છે, માટે જ્ઞાની જાણનાર જ રહે છે પણ વાંછા કરતો નથી.
શું કહે છે? કે જ્ઞાનીને વેધ-વેદકભાવ હોતો નથી. કેમ? કેમકે જેની દષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્યભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકારભાવની વાંછા અને તેની વેદનની વાંછા કેમ કરે? અહાહા....! કોઈ સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર સ્ત્રી હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com