SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જોયું? કાંક્ષમાણ ભાવના વેદનની અર્થાત્ ઇચ્છાયેલા ભાવના વેદનની અનવસ્થા છે, અર્થાત્ ઈચ્છાયેલા ભાવના વેદનનો મેળ જ ખાતો નથી. અહો ! આચાર્યદેવની સમજાવવાની કોઈ અદભુત શૈલી છે! કહે છે-ઇચ્છાયેલા ભાવને વેદવાનો કોઈ મેળ જ ખાતો નથી. આવું જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાષા જોઈ? ‘જ્ઞાની ના વિચિવેવ jક્ષતિ'–જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ‘વ’ પદ છે ને! મતલબ કે નિશ્ચયથી જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. એટલે કે આ લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, પરિવાર, આબરૂ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ મને હો-એમ કાંઈ પણ વાંછતો નથી. ભાઈ ! આવું સૂક્ષ્મ છે, છતાં સમજાય એવું છે હોં. હવે ભાવાર્થ કહેશે. * ગાથા ૨૧૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી.' જુઓ, આમાં પાછું વેદક પહેલાં ને વેધભાવ પછી-એમ લીધું. એ તો મૂળ પાઠ છે. ને? એનું અનુસરણ કર્યું છે. જ્યારે ટીકામાં વેધ અને વેદક-એમ લીધું છે કારણ કે પહેલાં વેધ અને પછી વેદકભાવ હોય છે. આનો ખુલાસો પહેલાં થઈ ગયો છે. અહીં કહે છે-વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. અર્થાત્ અનુભવવાના કાળનો અને ઇચ્છાના કાળનો પરસ્પર ભેદ છે. પણ આ તો બહું ઝીણું છે. ભાઈ ! આ તો હળવે હળવે કહેવાયું છે. સમજાય એટલું સમજવું બાપુ! ઝીણું પડે તો ઉપયોગ ઝીણો કરીને વિચારવું. અરે! એણે કદી સાંભળ્યુંય નથી પછી નિત્યસ્વભાવમાં તે કયાંથી જાય? અહા ! એને કાંક્ષા નામ ઇચ્છાનો નાશ કેમ થાય ? કરવાનું તો આ સમજવાનું છે પ્રભુ! પણ અરે ! અનંતકાળમાં તે આ સમજ્યો નથી! મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે-નિશ્ચયને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ) સમજવાનો કાળ આવ્યો ત્યારે નિશ્ચયને (શુદ્ધ આત્માને) માન્યો નહિ અને તેનો વ્યવહારમાં રાગમાં કાળ વહી ગયો. અહા ! રાગની મંદતાના પ્રયત્ન વડે વ્યવહારમાં -રાગમાં એનો કાળ વહી ગયો. અહા! રાગની મંદતાના-દયા, દાન, વ્રત આદિના વિકલ્પની આડે એને નિશ્ચય (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ) સમજવાનો કાળ આવ્યો જ નહિ! ખૂબ ગંભીર વાત છે ભાઈ ! પંડિતપ્રવર શ્રી ટોડરમલજીના સમયમાં એક બ્ર. રાયમલજી થઈ ગયા છે, તેમણે લખ્યું છે કે-દેવ-ગુરુ-શાસ્ત્ર, દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ ઇત્યાદિ વિષે જે પરિણામ છે તે પર તરફના વલણવાળા મંદ કષાયના પરિણામ છે. તથા છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ, ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઇત્યાદિ વિશે ચિંતવન Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy