________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૯ વસ્તુ નથી; અને જ્યારે વસ્તુ આવી–વેદકભાવનો કાળ આવ્યો ત્યારે વેદવાની ઇચ્છા નથી, વેદવાની ઇચ્છા ચાલી ગઈ છે. પછી વેદકભાવ-વેદનારો ભાવ કોને વેદે?
ત્યારે કહે છે બીજા વેધભાવને વેદે; બીજી જે ઇચ્છા થઈ તેને વેદ.
તો કહે છે–એ સંભવિત નથી કેમકે બીજો વેધભાવ આવે ત્યારે તે વેદકભાવભોગવનારો ભાવ હતો તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. તેથી બીજા વેધભાવને-બીજી ઇચ્છાને કોણ વેદે? માટે, અજ્ઞાનીની ઇચ્છા નિરર્થક જ છે એમ સિદ્ધ થાય છે. અહા ! આવી વાત વીતરાગના શાસન સિવાય બીજે કયાંય છે નહિ. જુઓને! કેટલી છણાવટ કરી છે?
હવે કહે છે-“ જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો (ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેકે?'
શું કહ્યું? કે “આ વસ્તુને હું વેદુંએવી વેધની બીજી ઇચ્છા થઈ ત્યારે પહેલો વેદકભાવ-ભોગવવાનો ભાવ નથી, નાશ પામી ગયો હોય છે; અને જ્યારે બીજો વેદકભાવ આવે છે ત્યારે બીજા વેધભાવનો-વાંછાના ભાવનો નાશ થઈ જાય છે અર્થાત્ જે બીજી ઇચ્છા થઈ હતી તે ઇચ્છા રહેતી નથી. આમ કયાંય મેળ ખાતો નથી. ભાઈ ! આ તો ધીમે ધીમે કહેવાય છે; સમજાય એટલું સમજવું બાપુ! અહાહા..! જૈન પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જે ધર્મસભામાં કહ્યું તે સ્વરૂપ આ છે અને તે સંતો જગત પાસે જાહેર કરે છે. ભાઈ ! તારા હિતનો પંથ આ છે બાપા!
કહે છે-“તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વળે?' એટલે કે જે વખતે બીજી ઇચ્છા થઈ ત્યારે જેને વેદવું છે તેનો (પહેલો) વેદકભાવ નથી, ભોગવવાના ભાવનો કાળ નથી; અને જ્યારે બીજો વેદકભાવ આવ્યો ત્યારે બીજો વેધભાવ-વાંછા કરનારો ભાવ રહેતો નથી, વિણસી ગયો હોય છે. આમ છે ત્યાં બીજ વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે ઇચ્છેલું વેદાતું જ નથી એમ જાણીને જેને નિત્યની દષ્ટિ થઈ છે એવો જ્ઞાની અનિત્ય એવા વિભાવભાવની ઇચ્છા કરતો નથી.
પ્રશ્ન:- પણ જ્ઞાની ઇચ્છા કરતો હોય તેમ દેખાય તો છે?
ઉત્તર:- ભાઈ ! એ તો થઈ જાય છે, કરતો નથી. જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા હોતી નથી. એ તો જે ઇચ્છા થાય છે તેનો જાણનાર જ રહે છે.
એ જ કહે છે-કે “આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com