________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૬
कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्
जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं। तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि।। २१६ ।।
यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम्।
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि।। २१६ ।। હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર કહે છે:
રે! વેધ વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
-એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. ગાથાર્થ:- [૫: વેયd] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [વેદ્યતે] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેધભાવ) [૩મયમ] તે બને ભાવો [સમયે સમયે] સમયે સમયે [ વિનશ્યતિ] વિનાશ પામે છે- [તજ્ઞાય5: _] એવું જાણનાર [ જ્ઞાન] જ્ઞાની [ ૩માન ]િ તે બને ભાવોને [ વા]િ કદાપિ [ ન કાંક્ષતિ] વાંછતો નથી.
ટીકા- જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ–વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત વાંછા કરનારા) એવા વેધભાવને વેદે છે અર્થાત્ વેધભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે, તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેદે છે, તો(ત્યાં એમ છે કે, તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજ વેદકભાવ તેને વેદે છે, તો
* વેધ = વેરાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com