________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
( સ્વાયત્તા) वेद्यवेदकविभावचलत्वाद्
वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति
।।૬૪૭।।
(ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વૈદકભાવ શું વેદે? આ રીતે કાંક્ષમાણ ભાવના વૈદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.
ભાવાર્થ:- વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેધભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વૈદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેધભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ- વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેધભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વૈદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વૈદકભાવ આવે ત્યાં સુધીમાં વેધભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:[ વેદ્ય–વેવ—વિમાવ-ચતત્વાત્ ]વેધ-વૈદકરૂપ વિભાવભાવોનું ચળ-પણું (અસ્થિ૨૫ણું ) હોવાથી [ હતુ] ખરેખર [ાંક્ષિતમ્ yવ વેદ્યતે ન] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન ગ્વિન ાંક્ષતિ ન] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વત: અપિ અતિવિરમ્િ ઐતિ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થ:- અનુભવગોચર જે વેધ-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે? ૧૪૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com