________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ ]
ચન રત્નાકર ભાગ-૭ ઉપચાર છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે “ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે.” વળી ત્યાં જ કહ્યું છે કે “નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.” અહા ! ઉપચારથી બીજે કથન આવે છે પણ આ તો શુદ્ધનયનું યથાર્થદષ્ટિનું કથન છે એમ કહે છે.
પ્રશ્ન:- અહીં “શુદ્ધનયની પ્રધાનતાથી –એમ કેમ કહ્યું?
ઉત્તર:- ભાઈ ! યથાર્થનયની દૃષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અશનની ઇચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે, છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીવે છે ઇત્યાદિ. પરંતુ એ તો ઉપચારનું-અ દ્ભુત વ્યવહારનયનું કથન છે. આવું પણ વ્યવહારથી કહી શકાય છે, બાકી વાસ્તવમાં તો તે અશનનો જ્ઞાયક જ છે.
[ પ્રવચન નં. ૨૮૬ (ચાલુ) * દિનાંક ૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com